________________
૩૮૫
(છંદ-ઉપજાતિ) घटोदके बिम्बितमर्कबिम्ब
मालोक्य मूढो रविमेव मन्यते । तथा चिदाभासमुपाधिसंस्थं
भ्रान्त्याहमित्येव जडोऽभिमन्यते ॥२२०॥
घटोदके
= (જેમ) ઘડાના પાણીમાં વિષિત ગ–વિખ્યમ્ = પ્રતિબિંબિત થયેલા સૂર્યને आलोक्य
= જોઈને મૂઢ:
= મૂઢ માણસ (પ્રતિબિંબને) रविं एव
= સૂર્ય જ मन्यते
= સમજે છે. तथा
= તેવી રીતે
= જડ બુદ્ધિવાળો મનુષ્ય भ्रान्त्या
= ભ્રમને લીધે उपाधि-संस्थम् = બુદ્ધિરૂપી ઉપાધિમાં રહેલા चिदाभासम् = ચિદાભાસને अहं इति एव = (તે) “હું જ છું એવું अभिमन्यते
'= અભિમાન કરે છે.
અજ્ઞાનીનું અનાત્મદર્શન
અવસ્થાત્રયસાક્ષીરૂપી અંતરાત્માનો સાક્ષાત્કાર કરવો જોઈએ તેવું સૂચન અપાયા બાદ, સ્થૂળબુદ્ધિવાળો મૂઢ પુરુષ કઈ રીતે શુદ્ધ આત્માને સોપાધિક જીવાત્મા સમજે છે તે વાત સદષ્ટાંત સમજાવતાં જણાવાયું છે કે ઘડાના પાણીમાં સૂર્યનું પ્રતિબિંબ પડેલું જોઈને મૂઢ, અજ્ઞાની કે મૂર્ખ માણસ પ્રતિબિંબને જ સૂર્ય માની બેસે છે અને બિંબરૂપ સૂર્યને સત્ય માનતો નથી. તેવી જ રીતે અવિવેકી, મૂઢ કે અજ્ઞાની, બુદ્ધિ કે અંતઃકરણની ઉપાધિરૂપી જળમાં પડેલા ચૈતન્ય આત્માના પ્રતિબિંબને જ સાચો સચ્ચિદાનંદ આત્મા