________________
३८०
શંકાનું સમાધાન
શિષ્યની શંકાના સમાધાનાર્થે સદ્ગુરુ બે શ્લોક દ્વારા સમજાવે છે કે ‘‘હે આત્મવિચા૨માં નિપુણ એવા વિદ્વાન શિષ્ય ! તારી શંકા સત્ય જ છે કે અહંકા૨ વિગેરે જે વિકારો છે, તેવા સૌ વિકારો અને તે વિકારોનો સુષુપ્તિમાં જણાતો અભાવ વગેરે સર્વ કંઈ જેના લીધે જાણી શકાય છે તે જ આત્મતત્ત્વ છે. છતાં આત્મા પોતે અન્ય કોઈથી જાણી શકાતો નથી. આમ, પોતાના સ્વરૂપને અદશ્ય અને અજ્ઞેય રાખી, સૌને જાણનારો સૌનો જ્ઞાતા, આ આત્મા જ અતિ સૂક્ષ્મબુદ્ધિ દ્વારા જાણવા યોગ્ય કે સાક્ષાત્કાર કરવા યોગ્ય છે. માટે તું તેવો પ્રયત્ન કર.’’
જાગ્રત અવસ્થામાં થતાં શરીરના આંતરિક અને બાહ્ય ફેરફારો; તથા સ્થૂળ શરીરના ઊંચાઈ અને વજનમાં થતાં પરિવર્તનો; શૈશવ, બાલ્યાવસ્થા, યુવાની, પ્રૌઢાવસ્થા, ઘડપણ જેવી બદલાતી પરિસ્થિતિઓ; રાગદ્વેષ, સુખદુઃખ જેવા મનના વિકારો; આવું જે કંઈ પરિવર્તનશીલ કે વિકારવાળું અનુભવાય છે, જણાય છે, તે સર્વ કાંઈ, આત્મા જ્ઞાનસ્વરૂપ છે માટે જ શક્ય બને છે. તેથી સ્પષ્ટ છે કે આત્મા, જાગ્રત અવસ્થામાં મન, ઇન્દ્રિય અને શ૨ી૨ના વિકારોનો જ્ઞાતા છે. તે જ પ્રમાણે એ જ આત્મા સ્વપ્નમાં કાલ્પનિક સ્વપ્નસૃષ્ટિનો અર્થાત્ સ્વપ્નની મનોમય સૃષ્ટિનો અને તેના કાલ્પનિક વિકારોનો પણ સાક્ષી છે. આત્મા ત્રણે કાળે, ત્રણે અવસ્થાઓમાં સાક્ષી કે જ્ઞાતા તરીકે હાજર હોવાથી સુષુપ્તિકાળે પણ સ્થૂળ અને સૂક્ષ્મ વિકા૨ોનો જે અભાવ જોવા મળે છે, તેનો પણ તે સાક્ષી કે જ્ઞાતા છે. માટે જ સુષુપ્તિમાં સૌ કોઈનો અનુભવ છે કે ‘‘હું કંઈ જાણતો નથી, I DON'T KNOW ANYTHING, અહં પિ ન ખાનામિ’’ અર્થાત્ સુષુપ્તિકાળે સ્થૂળ કે સૂક્ષ્મ કોઈ પણ વિકારોનું સ્ફુરણ ત્યાં હોતું નથી. સુષુપ્તિની અવસ્થા ક્રિયાશૂન્ય, પ્રત્યક્ષીકરણથી મુક્ત (FREE FROM ANY TYPE OF PERCEPTION) તેમજ બાહ્ય અને આંતર વિકારોના અભાવવાળી છે અને તેવા અભાવનો આત્મા સાક્ષી છે. માટે જ તે અભાવયુક્ત અવસ્થાને જાણી, જણાવે છે કે ‘‘હું કંઈ જાણતો નથી'' એવું જાણું છું. આમ, વિકારોના ભાવ = અસ્તિત્વ અને અભાવ બન્નેને આત્મા જાણે છે, ત્રણે અવસ્થાઓમાં જ્ઞાતાચૈતન્ય