________________
૩૫૪
છે. પોતે સર્વાત્મા, સર્વાધિષ્ઠાન હોવા છતાં દેહત્મબુદ્ધિથી પોતાને એકદેશીય પિંડ ગણી, અખિલ બ્રહ્માંડના એક અધિષ્ઠાન જેવા પોતાના આત્મસ્વરૂપથી વિહોણો બને છે.
(છંદ-ઉપજાતિ) उपाधि संबंधवशात्परात्मा
___ ह्युपाधिधर्माननुभाति तद्गुणः । अयोविकारानविकारिवह्निवत्
सदैकरूपोऽपि परः स्वभावात् ॥१६३॥
વિર વહિવત્ = (જેમ) અવિકારી અગ્નિ अयः विकारान् = લોઢાના આકારવાળો (દેખાય છે તેમ) स्वभावात् परः = સ્વભાવથી પર परात्मा
= વિશુદ્ધ આત્મા સદા રૂપઃ પ = સર્વદા એકરૂપ હોવા છતાં, ઉપાધિ સંવંઘવશાત્ હિ = (બુદ્ધિરૂપી) ઉપાધિના સંબંધના લીધે જ ઉપાધન = ઉપાધિના ધર્મો तद्गुणः * = (અને) તેના ગુણ अनुभाति = અપનાવે છે.
સકળ જગતના અધિષ્ઠાન જેવો પરમ આત્મા, મૂળ સ્વરૂપે કે સ્વભાવે તો માત્ર સદા એકરૂપ રહેનારો નિર્વિકારી, અપરિવર્તનશીલ અને નિરુપાધિક છે. છતાં જેમ નિર્વિકારી અગ્નિ લોઢાના હથિયાર જેવાં કે તલવાર, ચીપિયો, સાણસી કે દાતરડું અને કોદાળી જેવા ઓજારોને તપાવવાથી તે સૌ હથિયાર કે ઓજારોમાં પ્રવેશે છે ત્યારે તેમના જેવો જ આકાર ધારણ કરે છે અને તલવાર કે દાતરડાં જેવો સાકાર દેખાય છે. એ જ રીતે સાકાર, વિકારી કે દેશ્યવસ્તુના સંસર્ગથી આત્મા તેવો ન હોવા છતાં તે સૌની ઉપાધિના સંબંધ તેવો દેખાય છે. એનું કારણ એટલું જ છે કે દેહ, તેમાં રહેલી ઇન્દ્રિયો, મન,