________________
હોય, જે ઉહાપોહ કરી શકે તેમ હોય, તેવાને અહીં પુરુષ કહેવામાં આવ્યો છે. અત્રે વ્યાવહારિક રીતે કહેવામાં આવતાં સ્ત્રી કે પુરુષની વાત કરવામાં આવી નથી. સ્ત્રીને જો ખરેખર મોક્ષનો અધિકાર જ ન હોય તો પછી ઉપનિષદોમાં મોટામાં મોટી બ્રહ્મવાદિની તરીકે ગાર્ગી અને મૈત્રેયીના નામનો ઉલ્લેખ શા માટે છે? આથી સ્પષ્ટ છે કે ઉપનિષદોએ પુરુષ કે સ્ત્રીના શરીરને મહત્ત્વ આપ્યું નથી. એટલું જ નહીં, સુલભા પણ એક સ્ત્રી હતી. જનકરાજાને એવું કહેવામાં આવ્યું હતું કે તારે જ્ઞાન જોઈતું હોય તો સુલભાના શરણે જા. રાજા જનક પણ સુલભાના ચરણસ્પર્શ કરીને કહે છે, “ હે દેવી! તારી કૃપાથી મને આ જ્ઞાન લાધ્યું.” વાસ્તવિકતા આવી હોવાથી જો કોઈ પણ એવી વાત કરે કે “સ્ત્રીને મોક્ષનો અધિકાર નથી તો એ મૂર્ખામીની પરાકાષ્ઠા સિવાય કંઈ જ નથી, સ્વયં મૂર્ખતામાં બહેકીને સમાજને બહેકાવવાનો પ્રયાસ માત્ર છે.
શંકરાચાર્યજી અહીં પુરુષ શરીરની વાત કરતા નથી, પણ પૌરુષત્વ-ખુમારીની વાત કરે છે. આત્મજ્ઞાનના પંથે ચાલવું હોય તો સત્ય માટે ફના થવાની ખુમારી જોઈએ, શૌર્ય જોઈએ, માટે જ કહ્યું છે કે, કુરસ્ય ઘારા નિશિતા ફુરત્યથા કુરી પથસ્તત્વવયો વન્તિ ”
(કઠોપનિષદ, ૧-૩-૧૪) તત્ત્વજ્ઞાનીઓ તે માર્ગને છરાની તીક્ષ્ણ કરેલી દુરસ્ત ધાર જેવો અત્યંત દુર્ગમ કહે છે” તત્ત્વજ્ઞાનનો રસ્તો છરાની ધાર જેવો છે, એવા રસ્તા ઉપર જે કોઈ નીકળી પડે તે પૌરુષત્વયુક્ત છે. શરીર પુરુષનું હોય પણ મોક્ષમાર્ગે ચાલતાં ડરતો હોય, સ્વપ્ન જેવા સાંસારિક પદાર્થોને સાચા માની આસક્તિયુક્ત થઈ વળગી રહેતો હોય, વળગણ સગપણનો ઉચ્છેદ કરવાની તાકાત જેનામાં ન હોય અને ભીરુ, કાયર કે બાયલા જેવો હોય તેવો વ્યક્તિ પુરુષ હોવા છતાં ઐણ વૃત્તિવાળો પૌરુષત્વહીન કહેવાય છે. સ્ત્રીને મોક્ષનો અધિકાર નથી, આવી ભ્રાંતિમાંથી સમાજે બહાર નીકળવાની જરૂર છે. અહીં “પુરુષ' શબ્દથી જાતિ કે લિંગની વાત કરવામાં આવી નથી, માત્ર પૌરુષત્વની જ વાત કરવામાં આવી છે. આ પ્રમાણે શાસ્ત્રના તાત્પર્યને સાચા અર્થમાં ગ્રહણ કરીને, આપણે