________________
૩૪૧
તેવું સમજાવવા જણાવાયું છે કે આત્મા તો કર્મ, કર્તા અને કર્મફળથી અસંગ છે. તેમજ નથી આત્મામાં કર્તુત્વ કે ભોફ્તત્વ. નથી તેમાં “હું શરીર છું કે હું મન, બુદ્ધિ કે ઇન્દ્રિય છું તેવો અહંભાવ કે તેવો અહંકાર કે પછી તે સૌ મારાં છે એવો મમભાવ. આમ, આત્માને તો દેહ, ઈન્દ્રિય, પ્રાણ કે અંતઃકરણનો સંગ જ નથી. આત્મા તો સૌથી નિર્લેપ છે. આમ હોવા છતા મન તાદાભ્ય કરી, તે સૌમાં આત્મબુદ્ધિ કરી, તે બધામાં અહંભાવ કે મમભાવ પેદા કરી, હું દેહ', “હું મન’ કે ‘હું ઇન્દ્રિય’ અને ‘તે સૌ મારાં', એવા ભ્રાંતિમય તાદાભ્યથી બંધન ઊભું કરે છે. એટલું જ નહીં, પરંતુ મને પોતાની વાસના પ્રમાણેના કર્મો દેહ કે ઇન્દ્રિયો પાસે કરાવે છે, તદુપરાંત જીવાત્માને પણ તે સૌનો અભિમાની બનાવી, કર્તાભાવે કર્મ કરાવી કર્મના ઇષ્ટ-અનિષ્ટ ફળનો તેને ભોક્તા બનાવે છે અને સુખી-દુઃખી કરી બંધનના ભાવને જીવતો, જાગો અને સળગતો રાખે છે. તદુપરાંત જે કર્મોના ફળ આ જન્મે ન મળે તે જીવ સાથે ઉત્ક્રમણ કરી જીવને નવું શરીર ધારણ કરવા પ્રેરે છે અને ગર્ભરૂપી નવું બંધન ઊભું કરી જન્મ-મૃત્યુની યાતનામાં તેને ડૂબકાં ખવડાવે છે. આ ઉપરથી અત્રે સ્પષ્ટ જ જણાવાયું છે કે ઈશ્વરસૃષ્ટિમાં તત્ત્વાર્થે તો ભેદ છે જ નહીં. અલૌકિક કે પારમાર્થિક દૃષ્ટિમાં પણ દૈત કે જુદાઈનો તો પ્રશ્ન જ નથી છતાં દૈત અને ભેદનું દર્શન કરાવી જીવાત્માને બંધનમાં પાડવા માટે મનની આ સૌ કરામત છે. આવું અવિદ્યારૂપી મનનું લક્ષણ હોવા છતાં, નિર્લેપ આત્મા ને તેમાં ફસાય છે, ન બંધાય છે કે નથી કેદી થતો.
(છંદ-ઉપજાતિ) अध्यासदोषात्पुरुषस्य संसृति
रध्यासबन्धस्त्वमुनैव कल्पितः । रजस्तमोदोषवतोऽविवेकिनो
जन्मादिदुःखस्य निदानमेतत् ॥१८॥
पुरुषस्य
= જીવને