SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ કર્મભેદ; ઉર્ધ્વ અને અધોગતિ જેવી કર્મફળરૂપે થતી ગતિના ભેદ વગેરે સમગ્ર ભેદમય સૃષ્ટિનું અગર જાગ્રત અને સ્વપ્નની કાલ્પનિકૉંત સૃષ્ટિનું સર્જન મન જ કરે છે. આવી રીતે ભોગ્ય પદાર્થોનું સર્જન કરી, જીવાત્માને ભોક્તા બનાવી, તેને માટે બંધન ઊભું કરવાનું કાર્ય પણ મન જ કરે છે. માટે જ ચિત્તશુદ્ધિનો કે મનોનાશનો ઉપદેશ પ્રત્યેક મુમુક્ષુને આપવામાં આવે છે અને તેવા હેતુથી જ પૂર્વે, મનને મુમુક્ષુના શ્રેયનું, કલ્યાણનું ભક્ષણ કરનારો, ભયાનક વાઘ કહેવામાં આવ્યું હતું. (છંદ-ઉપજાતિ) સકૂિપમનું વિમોહ્યું - देहेन्द्रियप्राणगुणैर्निबध्य । अहंममेति भ्रमयत्यजस्रं मनः स्वकृत्येषु फलोपभुक्तिषु ॥१८०॥ મન: = મન *-વિદ્રુપમ્ = અસંગ અને ચિતૂપ अमुम् = આ (આત્માને) विमोह्य = મોહ પમાડીને વેદ-ન્દ્રિય-પ્રાણાઃ = સ્થૂળ દેહ-ઇન્દ્રિય અને પ્રાણના ધર્મોથી निबध्य = બાંધીને अहं मम इति = “અને મારું એવી (બુદ્ધિથી) अजस्रम् = નિરંતર स्वकृत्येषु = પોતાના કરેલાં કર્મોમાં (તથા) फलोपभुक्तिषु = કર્મફળોના ઉપભોગોમાં भ्रमयति = ભ્રમણ કરાવે છે. મન, જીવાત્માની અધોગતિનું કારણ છે તથા ભવબંધનો હેતુ છે
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy