________________
૩૨૪
પણ જન્મે છે. આવા બંધનને મનોવૃષ્ટિ કે જીવસૃષ્ટિથી ઉત્પન્ન થયેલું બંધન કહેવામાં આવે છે. આ ઉપરથી સ્પષ્ટ છે કે સર્વ કાંઈ મનના વિચૂંભણથી કે ફુરણથી અગર કલ્પનાથી જન્મે છે અને તેવા સ્કુરણના કે કલ્પનાના અગર મનોભ્રાંતિના નાશમાં સર્વ કાંઈ નષ્ટ થાય છે. પૂર્વે મનથી આ બધું કેવી રીતે સર્જાય તેવી શંકા કે પ્રશ્ન ઊભો કરેલો અને તેના સંદર્ભે જોયેલું કે મનનો પર્યાય અવિદ્યા કે અજ્ઞાન છે, તેવી સમજણ હસ્તગત થાય તો નિઃસંદેહ ઉપરોક્ત શંકાનું સમાધાન થઈ શકે. શાસ્ત્રોએ આવી શંકાનું સમાધાન આપતાં જણાવ્યું કે મનથી સર્જાય છે અર્થાત્ અજ્ઞાનથી સર્જાય છે કારણ કે બન્ને અન્યોન્યના પર્યાય છે. તે ન્યાયે સ્પષ્ટ સમજવું કે મનમવં સર્વ જ્ઞાનેન વિનીયતે (અપરોક્ષાનુભૂતિ-૧૪) “અજ્ઞાનથી સર્વ કાંઈ સર્જાય છે અને જ્ઞાનમાં જ સર્જાયેલા સર્વ કાંઈનો બાધ કે વિલયરૂપી નાશ થાય છે.” તેનો અર્થ શ્લોક સંદર્ભે સ્પષ્ટ થાય છે કે મનના ઉદયમાં સર્વનો ઉદય છે અને મનના નાશમાં સર્વસર્જનનો અસ્ત છે. અગર સંસારોદયનું કારણ મનોદય છે અને મનના અસ્તમાં સંસારનો નાશ છે. તેથી ગ્રંથની ઘોષિત ગર્જના ઉચિત જ છે કે વિશ્વનેસ્મિન્ સત્ત વિકૃમ્મતે | तस्मिन् विनष्टे सकलं विनष्टम् । .
મન સંદર્ભે વિશદ ચર્ચા કરી જણાવ્યું કે જેમ મનના ઉદયમાં સર્વનો ઉદય છે તેમ મનના વિનાશમાં જ સર્વ કાંઈ નાશ પામે છે, આવું ગર્ભિત સૂચન અનેક સાર્થક અર્થો પ્રદાન કરે છે. ઉપરાંત સુષુપ્તિ સંબંધે કહ્યું છે કે જાગ્રતમાં મન ધૂળની અને સ્વપ્નમાં સૂક્ષ્મ સૃષ્ટિની કલ્પના કરે છે પરંતુ સુષુપ્તિ સમયે તો મન જેવું કંઈ હોતું જ નથી. સુષુપ્તિકાળે ઇન્દ્રિયો મનમાં, ઇન્દ્રિયો સાથે મન બુદ્ધિમાં અને તે સૌના સમૂહની સાથે બુદ્ધિ ગાઢ અંધકાર જેવા અજ્ઞાનમાં વિલીન થાય છે, જ્યાં મન નિષ્ક્રિય હોય છે. નથી મનને સુષુપ્તિમાં દેહભ્રાંતિ, નથી વિષયાસક્તિ, નથી મિથ્યા સંબંધોનું વળગણ કે અજંપો અને અશાંતિ. તે કાળે નથી કર્મમાં ધકેલનારું કોઈ સગપણ, નથી સ્વાદેન્દ્રિયને આકર્ષનારું ગળપણ, નથી કર્મનો નશો, નથી કર્તાનો અહંકાર,