SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૭ અને ચોરી થઈ જાય તો પ્રાણ હાજર હોવા છતાં પણ ચોર કેટલો માલસામાન ચોરી ગયો તેનું જ્ઞાન પ્રાણને હોતું નથી. તદુપરાંત પ્રાણ સારું-નરસું કે હિતાહિતનું કોઈ પણ પ્રકારનું જ્ઞાન ધરાવતો નથી. આમ જોતાં, પ્રાણમયકોશ જ્ઞાનસ્વરૂપ નથી. તે વાયુનો વિકાર છે અને પરતંત્ર છે. તેથી કોઈ પણ હિસાબે તે આત્મા હોઈ શકે નહીં. આવો વિવેક સમજી, મુમુક્ષુએ પ્રાણમયકોશને આત્મા માની ખોટા બંધનમાં પડવું નહીં. | (છંદ-વસંતતિલકા) ज्ञानेन्द्रियाणि च मनश्च मनोमयः स्यात् कोशो ममाहमिति वस्तुविकल्पहेतुः । संज्ञादिभेदकलनाकलितो बलीयान् તપૂર્વશમિપૂર્વ વિકૃમ્મતે યઃ II9૬૬ll ज्ञानेन्द्रियाणि = જ્ઞાનેન્દ્રિયો मनः च = અને મન (મળીને) मनोमयः = મનોમયકોશ = બને છે. સંજ્ઞાહિમેશનનાતિતઃ = (દરેક વસ્તુમાં) નામ વગેરે ભેદની કલ્પના તથા મદં મમ' તિ = “હું અને મારું' એવી રીતે વસ્તુવિજ્ય–દેતુઃ = વસ્તુના વિચારનું કારણ જોશઃ = (મનોમય) કોશ છે. તત્ પૂર્વ મજૂર્ય = પૂર્વના કોશને વશમાં રાખનારો (હોવાથી) વતીયાનું યઃ = તે વધારે બળવાન विजृम्भते = જણાય છે. મનોમયકોશ અન્નમય અને પ્રાણમયકોશ પર વિવેચન કર્યા બાદ તે બન્નેથી સૂક્ષ્મ, મનોમયકોશ પર વિચાર કરવાનો પ્રારંભ થાય છે. स्यात्
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy