SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ = वायुविकारः अयं प्राणमयः आत्मा न एव यस्मात् क्व अपि किञ्चित् इष्टं अनिष्टम् न वेत्ति જાણતો નથી, સ્તું બન્યું વા વિશ્વન વા= પોતાનું કે પારકું એવું કાંઈ જાણતો નથી (વળી) નિત્ય પરતંત્ર છે. નિત્ય-પરતન્ત્રઃ = આ પ્રાણમયકોશ = આત્મા નથી જ. = ૩૧૬ = કારણ કે (તે) ક્યાંય પણ, ઇષ્ટ-અનિષ્ટ = = પવનનો વિકાર હોવાથી = કંઈ પણ પ્રાણમયકોશ અન્નમયકોશ પશ્ચાત્ બે શ્લોક દ્વારા પ્રાણમયકોશના વિવેચનનો પ્રારંભ કરવામાં આવે છે. પાંચ કર્મેન્દ્રિયો અર્થાત્ વાણી, હાથ, પગ, ગુદા અને શિશ્ન તથા પ્રાણ, વ્યાન, ઉદાન, સમાન અને અપાન જેવા પાંચ પ્રાણ વગેરેના સમૂહને પ્રાણમયકોશ કહેવામાં આવે છે. આ પ્રાણમયકોશ જ્યારે અન્નમયકોશથી ઉત્પન્ન થયેલા સ્થૂળ અને જડ શરીર સાથે જોડાય છે ત્યારે ક્રિયાશૂન્ય જડ દેહ ચેતનયુક્ત થઈ, સર્વ ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે. આમ, પ્રાણમયકોશનું મુખ્ય કાર્ય, દેહને ક્રિયાશીલ બનાવી તેને ચેતનવંતુ કરવાનું છે. તદુપરાંત સ્થૂળદેહ દ્વારા આરોગવામાં આવેલું અન્ન પચાવીને તેને અવયવોમાં પહોંચાડવાનું અને મળત્યાગ કરવાનું વિશેષ કાર્ય પણ પ્રાણમયકોશની મદદથી જ થાય છે. માટે જ કહ્યું છે કે પ્રાણમયકોશ જડ શરીરને ક્રિયાશીલ અને ચેતનવંતુ કરે છે. તેમ છતાં સમજવાનું કે પ્રાણમયકોશ વાયુનો વિકા૨ છે, શરીરની અંદર અને બહાર આવાગમન કર્યા કરે છે. સુષુપ્તિમાં જયારે અવયવો, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો આરામ કરે છે ત્યારે પણ પ્રાણ જાગે છે અને શરીરમાં આવ-જા કર્યા કરે છે. તેમ છતાં તે સુષુપ્તિમાં કોઈ પણ પદાર્થનું જ્ઞાન ધરાવતો નથી. જો રાત્રે ચોર આવે
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy