SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ यावत् विद्वान् - असति देहेन्द्रियाद भ्रमोदिताम् अहंताम् न जहाति तावत् : वेदान्त - नयान्तदर्शी अपि अस्तु तस्य विमुक्ति-वार्ता न अस्ति तावन्न तस्यास्ति विमुक्तिवार्ता - ऽप्यस्त्वेषवेदान्तनयान्तदर्शी ॥१६४॥ = = = = = = = = = = = = ૩૧૨ = જ્યાં સુધી વિદ્વાન, મિથ્યા એવા દેહ અને ઇન્દ્રિયો વગેરેમાં ભ્રાન્તિથી ઉદય પામેલ ‘હું' પણાને છોડતો નથી. ત્યાં સુધી આ(વિજ્ઞાન) વેદાન્ત-શાસ્ત્રનો જાણકા૨ ભલે હોય (છતાં) તેના મોક્ષની વાત(પણ) (સંભવતી) નથી. હવેના બે શ્લોક ઉપદેશાત્મક છે. તે દ્વારા જણાવાયું છે કે ‘હે મૂઢમતે! શા માટે તું ચામડી, માંસ, મેદ, હાડકાં અને મળ-મૂત્રના સમૂહરૂપી આ દેહમાં આત્મબુદ્ધિ કરીને અગર દેહતાદાત્મ્યથી ‘દેહ જ હું છું', એવી બુદ્ધિ દ્વારા આસક્ત થયો છે? અરે! દેહાત્મબુદ્ધિનો ત્યાગ કરી, શરીરમાં રહેલા જીવાત્માને જ નિર્વિકલ્પ બ્રહ્મ સમજી, તેવા બ્રહ્મમાં જ આત્મબુદ્ધિ કરી, પરમ શાંતિને પ્રાપ્ત કર. પરમ શાંતિરૂપી મોક્ષનું જ ચિંતન કર અને યાદ રાખ, કે જ્યાં સુધી અસત દેહ અને ઇન્દ્રિયોમાં ભ્રાંતિથી ઉત્પન્ન થયેલા અહંકારનો ત્યાગ થતો નથી ત્યાં સુધી કોઈ ગમે એવો વિદ્વાન કે વેદાન્તશાસ્ત્રનો પારંગત હોય, છતાં પણ તેને મુક્તિનો સંભવ હોતો નથી. આમ, દેહાત્મબુદ્ધિનો આત્યંતિક નાશ કરી, ‘હું નિર્વિકલ્પ
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy