SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ (છંદ-ઈન્દ્રવંશા) नास्त्रैर्न शस्त्रैरनिलेन वह्निना छेत्तुं न शक्यो न च कर्मकोटिभिः । विवेकविज्ञानमहासिना विना धातुः प्रसादेन सितेन मञ्जुना ॥१४६॥ ઘાતુ: પ્રસાર = (આ બંધન) છેતું ન શક: = છેદવું શક્ય નથી. સર્જનહારની કૃપાથી પ્રાપ્ત થયેલ, મ = અસ્ત્રોથી નહીં હિતેન = ધારદાર (અને) ન શ = શસ્ત્રોથી નહીં મઝુના = સુંદર નિત્તેર વહિના પવન, અગ્નિ(કે) વિવિજ્ઞાન- = વિવેકજ્ઞાનરૂપી ર્મોરિમિઃ ૨ = કરોડો કર્મોથી મહસિના વિના- મોટી તલવાર વિના આત્મજ્ઞાનની સ્તુતિ બંધનના વિસ્તૃત વિવેચન બાદ જે બંધન માટે કહેવાયું કે તે નૈસર્ગિક તથા અનાદિ અને અનંત છે અર્થાત્ તેને તોડવું કે બાધ કરવો દુષ્કર છે. કારણ કે બંધનમાં જન્મ, જરા અને મૃત્યરૂપી પ્રવાહનિત્યત્વ છે. તે જ બંધનથી મુક્ત થવાનો અજોડ ઉપાય માત્ર આત્મજ્ઞાન છે. તેવું જણાવી આત્મજ્ઞાનની પ્રશંસા અત્રે કરી છે અને આત્મજ્ઞાન જ બંધનથી મુક્ત થવાનો ઉપાય છે, તેવું પ્રસ્થાપિત કરેલું છે. બંધનનો બાધ કરવો એ કેટલું દુષ્કર છે તેવું સમજાવતાં જણાવાયું છે કે માત્ર બુદ્ધિબળે કે પંડિતાઈથી ન તો બંધનનું મૂળ સમજી શકાય કે ન તો તેને નિર્મૂળ કરી શકાય. તેથી જો કોઈ તર્ક-વિતર્ક, બુદ્ધિચાતુર્ય, વિદ્વતા અગર સ્નાન-દાન, યજ્ઞ-યાગ, તીર્થયાત્રા, વ્રત કે ઉપવાસ, તપશ્ચર્યા કે યોગ જેવા કરોડો કર્મોથી, કરોડો જન્મો સુધી પણ બંધનથી મુક્ત થવા કે તેનો નાશ કરવાનો પ્રયત્ન કરશે, તો તેમાં સરિયામ નિષ્ફળતા જ મળશે.
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy