SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૫ સ્થૂળ શરીર દ્વારા થતા બાહ્ય પ્રયત્નોથી સંસારબંધનનો નાશ કરી શકાય તેમ નથી, તેથી સમજાવવા અત્રે શંકરાચાર્યજી કહે છે કે, અજ્ઞાનજન્ય આ બંધન શસ્ત્ર કે અસ્ત્ર વડે છેદી શકાય તેમ નથી.‘નાસ્ત્રેઃ 7 શસ્ત્રેઃ’ ઉપરાંત બંધનનું મૂળ તો અજ્ઞાન છે. તેથી તેને દૂર કરવા તેનું પૂર્ણવિરોધી જ્ઞાન માત્ર જ આવશ્યક છે. જેમ અંધાતિમિર ટાળવા માત્ર પ્રકાશની જ આવશ્યકતા છે. ભલેને પછી કોઈ ગુફામાં હજારો વર્ષોથી અંધારું હોય, છતાં ક્ષણમાત્રના પ્રકાશથી જ તે દૂર થઈ શકે તેમ છે. તેને માટે વર્ષો સુધી દીપક ઝળહળતો રાખવાની જરૂર હોતી નથી. તેવી જ રીતે જન્મોજન્મનું મોહ કે અજ્ઞાનરૂપી બંધન, આત્મજ્ઞાનના પ્રકાશમાં વીજળી વેગે પલાયન થઈ ધ્વસ્ત થઈ જાય છે. પરંતુ પ્રશ્ન એ છે કે, આવું આત્મજ્ઞાન પ્રાપ્ત થાય કઈ રીતે? તો તેની એક પૂર્વશરત પ્રસ્તુત શ્લોકમાં જણાવવામાં આવી છે કે,‘ધાતુ: પ્રસારેન વિના છેત્તુમ્ ન શક્યઃ ।' અર્થાત્ મુમુક્ષુત્વ હોય, બુદ્ધિ હોય, શાસ્ત્રો અને અધ્યયનની સગવડતા ઉપલબ્ધ હોય, છતાં પણ ઈશ્વરના કૃપાપ્રસાદ વિના બંધનનું છેદન કરવું શકય નથી. આવી સ્પષ્ટતા ઉપર ભાર મૂકતાં આચાર્યશ્રીએ જણાવ્યું કે ઈશ્વરની કૃપા વગર અસ્ત્ર કે શસ્ત્ર, પવન કે અગ્નિ, કરોડો કર્મો કે ઉપાસનાઓ, બંધનનો ઉચ્છેદ કરવામાં સમર્થ નથી. તાત્પર્યમાં, મુમુક્ષુને સંદેશ છે કે, પરમાત્માની પાવન કૃપાનું પ્રિય પાત્ર બની, તેવી કૃપાના બળે સૂક્ષ્મ બુદ્ધિરૂપી તીક્ષ્ણ તલવાર પર આત્માનાત્માવિવેકનું પાણી ચઢાવી તેવી વિવેકવિજ્ઞાનરૂપી તલવાર દ્વારા દેઢતાપૂર્વક સંદેહ-મુક્ત થઈ, એક જ ઝાટકે સંસારબંધનને તેના અજ્ઞાનરૂપી મૂળ સહિત કાપી, સુખથી વિહાર કર. (છંદ-ઉપજાતિ) श्रुतिप्रमाणैकमतेः स्वधर्म निष्ठा तयैवात्मविशुद्धिरस्य । विशुद्धबुद्धेः परमात्मवेदनं तेनैव संसारसमूलनाशः ॥ १५०॥
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy