________________
ર૯૨
(છંદ-ઉપજાતિ) अज्ञानमूलोऽयमनात्मबन्धो
नैसर्गिकोऽनादिरनन्त ईरितः । जन्माप्ययव्याधिजरादिदुःख
प्रवाहपातं जनयत्यमुष्य ॥१४८॥
अयम्
ईरितः
अज्ञानमूलः
= અજ્ઞાનરૂપી મૂળવાળું
= આ अनात्मबन्धः
= અનાત્માનું બંધન नैसर्गिकः
= સ્વાભાવિક अनादिः अनन्तः = અનાદિ અને અનન્ત છે એમ)
= કહેવાય છે. अमुष्य
= (જે) આ જીવને જન્મ-મ-વ્યાધિ-નરવિ = જન્મ મરણ,વ્યાધિ, ઘડપણ વગેરે દુ:સ્વપ્રવાહપાત ગતિ = દુઃખપ્રવાહમાં પાડ્યા કરે છે.
બંધનનું સ્વરૂપ પૂર્વે બંધનની વ્યાખ્યા, તે ક્યાંથી આવ્યું? તેનું કારણ શું છે? વગેરે વિષયોની વિવેચના થઈ ગયા બાદ હવે તેનું સ્વરૂપ સમજાવતાં કહ્યું છે કે, અજ્ઞાન જે બંધનનું કારણ” કે “મૂળ” છે. આ સંસારરૂપી બંધન સહજ સ્વાભાવિક અને નૈસર્ગિક છે. જેમ અજ્ઞાન સંસ્કારગત, અનાદિ અને સહજ છે તેવી જ રીતે બંધન પણ કોઈ વિશેષ પ્રયત્ન વિના આપોઆપ કે અનાયાસે જ અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. માટે જ તેને સંસ્કારગત કે સ્વાભાવિક કહ્યું છે. કોઈ પણ વિશેષ પ્રયત્ન વિના જે જન્મે તે સહજ કે નૈસર્ગિક કહેવાય. બંધનનું પણ તેવું જ છે. માટે જ તેના સ્વરૂપને નૈસર્ગિક કહેવાય છે. આવું નૈસર્ગિક બંધન ક્યારે ઉત્પન્ન થયું?, તેની શરૂઆત, પ્રારંભ અથવા આદિ કોઈ જાણતું નથી, માટે જ તેને અનાદિ કહેવાય