SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૭ કે અધિષ્ઠાન આત્મા જ છે. ટૂંકમાં, “હું” અને “છું', તેમાં “હું આત્માના ચેતનમય કે જ્ઞાનસ્વરૂપનો નિર્દેશ કરે છે. અને “છું તે સત કે અસ્તિત્વ સૂચવે છે. આમ, “હું થી ચિત્ત અને “છું થી સત એવો ભાવ સમજાય છે. તેથી સ્પષ્ટ થાય છે કે આત્મા સત અર્થાત નિત્ય છે. “અદમ્' અર્થાત્ જ્ઞાન અને ચૈતન્ય સ્વરૂપ છે. આ આત્મા સ્વતંત્ર, સ્વયંપ્રકાશિત અને અન્યના આલંબનથી મુક્ત છે. ઉપરાંત જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ જેવી ત્રણે અવસ્થાનો સાક્ષી છે. જાગ્રતમાં તે સ્થળ પદાર્થો અને તેના ભોક્તાનો સાક્ષી છે. સ્વપ્નમાં સૂક્ષ્મ ભોગોનો સાક્ષી છે. જયારે સુષુપ્તિમાં સર્વ વ્યવહારશૂન્યતા સમયે તે “મર્દ ગિરિ ને નાનામ” તેવી રીતે “ગદમ્' અર્થાત્ પ્રત્યયના અધિષ્ઠાનરૂપે ત્યાં હાજર રહી પ્રકાશે છે. “મા” કે “હું એવો પ્રત્યય આત્માનો પર્યાય કે બીજું નામ છે. જેમ તે ત્રણે અવસ્થાનો સાક્ષી છે તેવી જ રીતે તે અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય જેવા પાંચ કોશોથી ન્યારો છે અને સૌથી અસંગ કે વિલક્ષણ છે. ( આ પ્રમાણે આત્મા અવસ્થાત્રયસાક્ષી કે ત્રણે અવસ્થાઓનો દ્રષ્ટા હોવાથી આવી અવસ્થાઓમાં કાર્યશીલ રહેલી બુદ્ધિની વૃત્તિના સદ્ભાવને અને સુષુપ્તિ સમયે લય પામેલી બુદ્ધિવૃત્તિના અભાવને પણ જાણે છે. આવી રીતે બુદ્ધિના અભાવને કે સદ્ભાવને “આ હું એવી રીતે જાણનારો અન્ય કોઈ નહીં પરંતુ આત્મા જ છે. આ પરથી નિશ્ચિત જણાય છે કે આત્મા ત્રણે અવસ્થામાં સહુને જાણનારો અને જ્ઞાનસ્વરૂપ છે. | (છંદ-અનુષ્ટ્રપ). . ય: પશ્યતિ સ્વયં સર્વ ાં ન પશ્યતિ વશ્વન | _ यश्चेतयति बुझ्यादिं न तु यं चेतयत्ययम् ॥१२६॥ ય: સ્વયમ્ = જે પોતે ય: = જે સર્વ પશ્યતિ = બધાને જુએ છે યુદ્ધવિમ્ = બુદ્ધિ વગેરેને શ્વન યમ્ = (પણ) કોઈ જેને વેતતિ = ચેતનવાળી કરે છે ન પુણ્યતિ = જોતું નથી, = પણ,
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy