________________
૨૬૮
ચું ન વેતતિ= જેને (અન્ય કોઈ) મયમ્ = (તે) આ (આત્મા) છે.
ચેતનવંતુ કરતું નથી
આત્મા જ્ઞાનસ્વરૂપ હોવાથી તથા ત્રણેય અવસ્થાઓમાં હાજરા-હજૂર કે સાક્ષી હોવાથી અત્રે જણાવાયું છે કે તે સર્વને જુએ છે પણ તેને કોઈ જોતું નથી. તેનો તત્ત્વાર્થ તો એવો જ છે કે તે સહુને જાણે છે, છતાં તે સહુથી અશેય રહે છે. આત્મા તો અવયવ અને ઇન્દ્રિયો વગરનો છે, નિરાકાર અને અદશ્ય છે તેથી આંખ વગરનો આત્મા કંઈ અન્યને જોઈ શકે તે વાત વાસ્તવિક નથી. પરંતુ શાસ્ત્રના અને પ્રસ્તુત શ્લોકના શબ્દો જેવા કે “ઃ પુણ્યતિ- યે ન પુણ્યતિ” વાંચીને શાસ્ત્ર ન જાણનાર કે સદ્ગુરુ પાસેથી પરંપરાગત વૈદિક શિક્ષણ પ્રાપ્ત ન કર્યું હોય કે પછી પરંપરાથી જેણે આત્મજ્ઞાનનો અભ્યાસ નથી કર્યો તેવો અબુધ અને અપરિપક્વ સાધક એવું જ સમજે છે કે આત્મા સહુ કોઈને જોતો હશે. પરંતુ શાસ્ત્રની શિક્ષણપ્રણાલિકા મુજબ “પુણ્યતિ' નો અર્થ માત્ર જોવું એવો નથી પરંતુ “જાણવું,' એવો પણ થાય છે. જેમ કે ‘દર્શનનો અર્થ પણ “જાણવું' એવો થાય છે માટે જ મહાશાળાઓ કે યુનિવર્સિટીમાં તત્ત્વજ્ઞાન કે ફિલસૂફીના વિષયને “દર્શનશાસ્ત્ર વિભાગ' (DEPARTMENT OF PHILOSOPHY), એવું નામ અપાય છે. આમ હોવાથી, સ્પષ્ટ સમજવું કે આત્મા, જ્ઞાન કે ચૈતન્યસ્વરૂપ હોવાથી તે સર્વમાં ચૈતન્યરૂપે રહી સહુ કોઈને જાણે છે. પરંતુ પોતે નિરાકાર અને અદેશ્ય હોઈ સૂક્ષ્મ બુદ્ધિ સિવાય કોઈ તેને જાણી શકતું નથી. જેવી રીતે જગતના વ્યવહારમાં પણ સહુ કોઈ પદાર્થો સૂર્યપ્રકાશની મદદથી જ જણાય છે. પરંતુ પ્રકાશ પોતે અરૂપ હોવાથી કોઈ પણ રૂપે તે કોઈને જણાતો નથી. આમ, સહુને જણાવનાર પ્રકાશ પોતે અદૃશ્ય રહે છે તેમ ઇન્દ્રિયો, તેનાથી અનુભવાતું જગત, મન, બુદ્ધિ કે તેના દ્વારા અનુમાન થઈ શકે તેવા સર્વ પદાર્થોને ચૈતન્યમય આત્મા જાણે છે ખરો, પરંતુ પોતે સર્વમાં ગૂઢ તત્ત્વ તરીકે અદેશ્ય રહે છે. તેથી તેને કોઈ જાણતું નથી. આમ હોવાથી સમજાય છે કે જણાતા પદાર્થો કે સૃષ્ટિ, પ્રત્યક્ષ કે ઇન્દ્રિયોનો વિષય છે પરંતુ આત્મા ઇન્દ્રિયોથી જણાતો