SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ દ્વારા શાસ્ત્રની પરિભાષાને સમજાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે. આ દિશામાં સમાજે જાગૃત થવાની જરૂર છે, જો શંકરાચાર્યજી ન હોત તો કદાચ આ સમાજના અત્યારે કેવા હાલ હોત, તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. કાપાલિકોનું સામ્રાજ્ય દેશ પર પ્રવર્તમાન હોત અને કર્મકાંડમાંથી શંકરાચાર્યજીએ આપણને બહાર કાઢયા ન હોત તો આજે પણ હજારો પશુઓનો વધ થતો હોત, નરબલિ ચઢાવાતા હોત. ખેદની વાત છે કે આજે તેમની એ વૈચારિક ક્રાંતિને સમાજ ભૂલી ગયો છે. આવી સામાજીક ઉત્ક્રાંતિ કરનાર શંકરાચાર્યજીએ શાસ્ત્રાધ્યયનનો રાહ ચીંધતા નિર્દેશ્ય છે કે ભગવદ્ગીતા તથા ઉપનિષદ જેવા મહાન ગ્રંથોના અધ્યયન પૂર્વે પ્રકરણ ગ્રંથોનું અધ્યયન અનિવાર્ય છે. પ્રકરણ ગ્રંથો ઘણા છે જે પાયાના સિદ્ધાંતોને સમજાવે છે. જે સાધકોને મોક્ષ મેળવવો હોય તેમણે પ્રકરણગ્રંથોનો અભ્યાસ કરવો જ જોઈએ. ભગવદ્ગીતા કે ઉપનિષદ જેવા ગ્રંથોના રહસ્યને આત્મસાત્ કરવા, પ્રકરણગ્રંથરૂપી પગથિયાંવાળા પંથે પ્રયાણ કરવું જોઈએ. શંકરાચાર્યજીએ પોતાના શિષ્યો, જેઓ મુમુક્ષુ અને જ્ઞાનના અધિકારી હતા, તેઓને સમજાવવા માટે આ “વિવેકચૂડામણિ' નામના મહત્ત્વના પ્રકરણ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ વિવેકને જન્માવે છે અને વિવેક વિના કોઈ પણ પ્રકારનો વૈરાગ્ય જન્મી શકે તેમ નથી. વિવેક વિના જન્મેલો વૈરાગ્ય તો સ્મશાન વૈરાગ્ય હશે.એવો વૈરાગ્ય ન તો સ્વયંનું કલ્યાણ કરી શકે કે ન તો બીજાને કલ્યાણના માર્ગે દોરી શકે. માત્ર વિવેક દ્વારા જન્મેલો વૈરાગ્ય જ સાચા સંન્યાસની દિશામાં નહીં બલકે દશામાં લઈ જશે. તથા યોગ્ય જીજ્ઞાસુનું પળવારમાં મુમુક્ષુમાં રૂપાંતર કે પરિવર્તન કરશે. બ્દયપરિવર્તન, આંતરિક ઉત્થાન કે અંતઃકરણ શુદ્ધિ વિવેકના સહારા વિના શક્ય નથી. આ દિશામાં જનારા લોકોનો તોટો નથી પરંતુ વિવેક દ્વારા સંન્યાસની દશામાં સ્થિત થયેલા મહાત્મા શોધવા પણ મુશ્કેલ છે. તાત્પર્ય એ છે કે વિવેક વિના જ્ઞાનના પંથે લેશમાત્ર પ્રગતિ શક્ય નથી. તેથી પ્રકરણગ્રંથના સહારે, તેના કિનારે કિનારે, તેના કૃપાપગથિયાં ચઢતાં ચઢતાં આપણે ગ્રંથગત વિવેકની વાતો આદિશંકરાચાર્યજી પાસેથી સાંભળીએ, વિચારીએ અને ચિંતવીએ એમાં જ આપણું અંતિમ શ્રેય છે.
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy