SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫O તેનો અંત છે. માટે જ તે અનાદિ હોવા છતાં સાન્ત કહેવાઈ છે. તેની સ્પષ્ટતા કરતાં પ્રસ્તુત શ્લોકમાં સમજાવાયું છે કે જેમ દોરીના યથાર્થ જ્ઞાનમાં સર્પની ભ્રાંતિનો બાધ થાય છે, તે જ પ્રમાણે શુદ્ધ અદ્વિતીય બ્રહ્મનું શંકારહિત યથાર્થ જ્ઞાન થાય, ત્યારે મિથ્યા માયાની ભ્રાંતિ પણ બાધ પામે છે. અર્થાત્ સત્ત્વ, રજસ અને તમસ જેવા માયાના જે ત્રણ ગુણો દ્વારા સૃષ્ટિનું સર્જનકાર્ય થાય છે અને તેવું કાર્ય જ માયાના અસ્તિત્વનું સૂચક હોય છે. તેમ છતાં જ્ઞાનકાળે જ્ઞાનીને જગતરૂપી સર્જન, દશ્યપ્રપંચ કે માયાકાર્ય સ્વપ્નવત જણાય છે અને જ્ઞાની સંસારને મિથ્યા જાણી, નથી તેનાથી પ્રભાવિત થતો કે નથી તેવા સ્વપ્નવત પદાર્થોથી બંધનમાં પડતો. રજુ ઉપર થયેલો સર્પનો આરોપ કે ભ્રાંતિ રજજુનું જ્ઞાન થતાં જ દૂર થાય છે. તે જ પ્રમાણે સૃષ્ટિસર્જનના કાર્યનો આત્મા ઉપર મિથ્યારોપ જાણી, જ્ઞાની આરોપ પ્રત્યે રાગથી નથી આકર્ષાતો કે દ્વેષથી દૂર ભાગતો. આવી અભેદ અધિષ્ઠાનમય બુદ્ધિથી જ જ્ઞાની, માયા અને તેના કાર્યોને જ્ઞાન દ્વારા તરી જાય છે. એવો જ સંકેત અત્રે છુપાયેલો છે. (છંદ-ઉપજાતિ) विक्षेपशक्ति रजसः क्रियात्मिका यतः प्रवृत्तिः प्रसृता पुराणी । रागादयोऽस्याः प्रभवन्ति नित्यं ૩:વાયો યે મનસો વિછારા: 1993 રન: = રજોગુણની મસ્યા: = આના (વિક્ષેપશક્તિ) વિક્ષેપશ: = વિક્ષેપ નામની શક્તિ મનસ: ૨ = મનના જે ક્રિયાત્મિા = ક્રિયારૂપ છે. રાયઃ = રાગ-દ્વેષ વગેરે(અને) યતઃ = જેમાંથી દુ:સ્વાવય: = દુઃખ વગેરે પુરાણી = પુરાતન વિIRI: = વિકારો પ્રવૃત્તિ: = પ્રવૃત્તિ નિત્ય પ્રમવન્તિ = નિત્ય ઉત્પન્ન પ્રસૂતા = પ્રસરી છે. થાય છે. દ્વારા
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy