________________
૨૪૯
જ છે કે આ માયા અદ્ભુત છે. તેનું વર્ણન કષ્ટમય અને કપરું કાર્ય છે. તેથી તે અવર્ણનીય અને અનિર્વચનીયરૂપવાળી કહેવાય છે. અર્થાત્ શબ્દ, વચન કે વાણીથી જેને ન સમજાવી શકાય, પ્રમાણોથી જેને ન પ્રમાણિત કરી શકાય. ઉપરાંત જે નથી સત કે નથી અસત, એવી મિથ્યારૂપવાળી માયા જાણવી, સમજવી કે તેનો તાગ મેળવવો કપરું કાર્ય છે. માટે જ માયા સંદર્ભે ગીતામાં શ્રીકૃષ્ણ પરમાત્માએ પણ જણાવ્યું છે કે, “મમ માયા ફુરત્યયા' “મારી માયા તરવી દુષ્કર છે.”
(છંદ-ઉપજાતિ) शुद्धाद्वयब्रह्मविबोधनाश्या
सर्पभ्रमो रज्जुविवेकतो यथा । रजस्तमः सत्त्वमिति प्रसिद्धा
Mાસ્તવીયા: fથતા: સ્વાર્થેઃ II99રા यथा.
= જેમ रज्जुविवेकतः = દોરડીના જ્ઞાનથી सर्पभ्रमः
= સર્પની ભ્રાન્તિ (નાશ પામે છે તેમ માયા) શુદ્ધ-મહંય- - = શુદ્ધ અદ્વૈત બ્રહ્મના विबोधनाश्या = જ્ઞાનથી નાશ પામનારી છે. સ્વાર્થે થતા: = પોતાના કાર્યોથી જણાતા સત્ત્વ રનઃ તમ: રતિ = સત્ત્વ, રજસ અને તમસ; એ तदीयाः
= તેના પ્રસિદ્ધીઃ ગુIઃ = પ્રસિદ્ધ ગુણો છે.
માયાનું તરણ કરવું તેને પાર ઉતરવું અર્થાત માયા દ્વારા સર્જાયેલા જગતના પદાર્થોની આસક્તિથી મુક્ત થવું અતિ કપરું કાર્ય છે, તેવું કહેવાયું. છતાં એક વસ્તુ સ્પષ્ટ છે કે માયા તરવી અઘરી છે પણ અશક્ય નથી. માટે જ અત્રે સ્પષ્ટતા કરી છે કે અદ્વિતીય બ્રહ્મના નિઃસંદેહ કે શુદ્ધજ્ઞાન દ્વારા માયાનો બાધ, નાશ કે અભાવ સર્જાય છે. આમ, માયા ભલે અનાદિ છે છતાં જ્ઞાનમાં