________________
૨૪૭
भिन्ना अपि अभिन्ना अपि उभयात्मिका नो साङ्गा अपि अनङ्गा अपि उभयात्मिका नो
= ભિન્ન પણ (નથી), = અભિન્ન પણ નથી), = ભિન્ન-અભિન્નરૂપ બે પ્રકારની પણ નથી. = સાવયવ પણ (નથી), = નિરવયવ પણ (નથી), = (સાવયવ-નિરવયવ એમ)
બે પ્રકારના રૂપવાળી પણ નથી (પરંતુ) = મહા અદ્ભુત, (અને) = અનિર્વચનીયરૂપવાળી છે.
महा-अद्भुता अनिर्वचनीयरूपा
જગતકારણ માયા નથી સત કે અસત. એવા કથનથી સમજવાનું કે માયા જો સત હોય તો ત્રણે કાળે રહેવી જોઈએ. અરે ! એક કાળે પણ તેનો અનુભવ તો થવો જ જોઈએ. છતાં માયા તો સદા અશેય, અજ્ઞાત અને અવ્યક્ત રહીને જ સૃષ્ટિનું સર્જન કરે છે. એક પણ કાળે જણાતી નથી. તદુપરાંત જ્ઞાનકાળે તેનો બાધ થઈ જાય છે, અંત આવે છે, વિનાશ થાય છે, તેથી તેને ત્રણ કાળે રહેનારી પણ ન કહેવાય. માટે જ તે સત નથી. જે સત હોય તેનો કોઈ પણ કાળે અભાવ ન થવો જોઈએ. પરંતુ માયાનો જ્ઞાનકાળે અભાવ થતાં સમજાય છે કે તે સત નથી અને આવી જ રીતે જો માયા તદ્દન અસત હોય તો કોઈ પણ કાળે તેનો અનુભવ ન થવો જોઈએ અને તે જણાવી પણ ન જોઈએ. તેમ છતાં શાસ્ત્રો જણાવે છે કે માયા, પ્રાણી પદાર્થો અને સૃષ્ટિની ઉત્પત્તિ માટે ઉપાદાન કારણ છે. આમ, ઉપાદાન કારણ તરીકે તો તે જણાય છે, તેથી તેને તદ્દન અસત પણ ન કહેવાય. આમ હોવાથી માયા માટે કહ્યું છે કે નથી તે સત કે ન હોઈ શકે અસત.
( શાસ્ત્રો જણાવે છે કે “વવારે સત્યવત્મતિ પ્રવોથે સત્યસમવેત્ !” (આત્મબોધ-૬) અજ્ઞાન દશામાં માયા સત્ય જેવી જણાય છે જ્યારે આત્મજ્ઞાન સમયે અસત જેવી સમજાય છે. આમ, તે સત અને અસત બન્ને પ્રકારે જણાય છે, પરંતુ કોઈ પણ વસ્તુ એક સાથે સત અને