SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાના સત્ત્વ, રજસ અને તમસ ગુણ દ્વારા સમગ્ર સૃષ્ટિનું સર્જન કરે છે છતાં પોતે અદૃશ્ય રહે છે. અભિવ્યક્ત થતી નથી. આમ, તેના નામ અને રૂપ અપ્રગટ રહે છે છતાં તે સૃષ્ટિ જેવા કાર્યને પ્રગટ કરે છે. માટે તેને ૫૨માત્માની અવ્યક્ત શક્તિ કહી છે. અવ્યવત્તનાની પરમેશòિઃ । આ માયા, સૃષ્ટિની ઉત્પત્તિનું કારણ છે, છતાં તેનો જન્મ, આરંભ કે શરૂઆત ક્યારે થઈ તે અજ્ઞાત છે, માટે તેને અનાદિ અવિદ્યા કહી છે. આમ, તે અનાદિ છે. અજ્ઞાત છે અને અજ્ઞાનસ્વરૂપ છે. વાસ્તવમાં તો તે છે ખરી પણ જણાતી નથી માટે જ તેનું નામ ‘માયા’ છે. તત્ત્વાર્થે ‘મા’ અર્થાત્ ‘નથી’ અને ‘યા’ એટલે જેણી’, આમ, જે નથી જણાતી તે જ માયા છે. આમ છતાં, શુદ્ધ કે સૂક્ષ્મ બુદ્ધિવાળા માયાનું કાર્ય અર્થાત્ ઉત્પન્ન થયેલી સૃષ્ટિરૂપી કાર્યને જોઈ, તે કાર્ય ઉપરથી કારણરૂપી માયાનું અનુમાન કરી શકે છે અને આવી રીતે માયાના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. તદુપરાંત સ્મૃતિ પણ જણાવે છે કે પરમાત્મા પોતાની માયાશક્તિ વડે જ સમગ્ર જગતની ઉત્પત્તિ કરાવે છે પરંતુ પોતે સર્જનના કાર્યમાં ભાગીદાર થતાં નથી છતાં અધ્યક્ષ કે સાક્ષીરૂપે હાજર રહે છે. ‘મયાધ્યક્ષે પ્રકૃતિ: સૂતે સચરાવનમ્ ।' (ભ.ગીતા-૯/૧૦) આમ, કે · શાસ્ત્ર દ્વારા પણ અજ્ઞાત અને અજ્ઞેય માયાને સુજ્ઞ પુરુષ જાણી, સમજી તેને તરી શકે છે અથવા જ્ઞાનમાં તેનો બાધ કરી શકે છે. માટે જ માયા અનાદિ હોવા છતાં ‘સાન્ત' કહેવાય છે. શબ્દ (છંદ-ઇન્દ્રવજા) सन्नाप्यसन्नाप्युभयात्मिका नो भिन्नाप्यभिन्नाप्युभयात्मिका नो । साङ्गाप्यनङ्गाप्युभयात्मिका नो મહાભુતાઽનિર્વવનીયહા ||999|| (માયા) સત પણ નથી, सत् न अपि असत् न अपि उभयात्मिका नो ૨૪૬ = = અસત પણ નથી, સત-અસતરૂપ બે પ્રકારની પણ નથી; =
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy