________________
૨૪૨
પ્રિય લાગે છે. (તથા) પુત્રોના સુખને માટે પુત્રો (પિતાને) કદાપિ પ્રિય હોતા નથી. (પરંતુ) પોતાના સુખને માટે જ (પિતાને) પુત્રો પ્રિય હોય છે. (તે જ પ્રમાણે જગતના) તમામ પદાર્થો કે પ્રાણીમાત્ર તેઓના સુખને માટે પ્રિય હોતા નથી પરંતુ પોતાના સુખને માટે જ (સર્વને) સર્વ પદાર્થો કે પ્રાણીઓ પ્રિય હોય છે.” આમ, ઉપરોક્ત શ્રુતિ તથા યુક્તિ પુર:સર થયેલી વિચારણાથી
સ્પષ્ટ થાય છે કે જગતના તમામ વિષયો કે વ્યક્તિ તથા પ્રાણીમાત્ર સ્વત: પિયરૂપ નથી. પરંતુ પોતાને માટે જ સુખકર પ્રતીત થાય છે. તેથી પોતાનો આત્મા જ સર્વને સૌથી વધુ પ્રિય છે.
| (છંદ-અનુષ્ટ્રપ) - तत आत्मा सदानन्दो नास्य दुःखं कदाचन । यत्सुषुप्तौ निर्विषय आत्मानन्दोऽनुभूयते ।
श्रुतिः प्रत्यक्षमैतिह्यमनुमानं च जाग्रति. ॥१०६॥ તત: = આથી નિર્વિષયઃ = વિષય રહિત માત્મા = આત્મા માત્માનન્દ = આત્માનંદ સ = સર્વદા
મનુભૂયતે = અનુભવાય છે. માનન્દ = આનંદરૂપ (છે.) કુતિઃ = (આ બાબતમાં) ઉપનિષદ, યસ્ય = આ (આત્મા)ને પ્રત્યક્ષમ્ = પ્રત્યક્ષ,
વાવ = કદી પણ નિહમ્ = ઇતિહાસ દુઃવું ન = દુઃખ નથી. વ મનુમાનન્ક અને અનુમાન યત = કારણ કે નાસ્થતિ = જાગ્રત અવસ્થામાં સુપુતો = સુષુપ્તિ અવસ્થામાં (પ્રમાણરૂપ છે.)
અત્યાર સુધી આચાર્યશ્રીએ સ્થૂળ શરીર તથા સૂક્ષ્મ શરીરનું વિવેચન પૂર્ણ કર્યું અને અંતે આત્માનું પ્રિયતમપણું જણાવી તે વિચારની પૂર્ણાહુતિ કરતાં અને કારણ શરીર વિશેની વિવેચનાનો પ્રારંભ કરતાં પૂર્વે અત્રે જણાવ્યું છે કે આત્મા આનંદસ્વરૂપ છે. તેને દુઃખનો સ્પર્શ જ નથી. આવા વિચારનો વિસ્તાર કરતા સ્પષ્ટતા કરવામાં આવી છે કે સુષુપ્તિની
III