SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ પ્રિય નથી. ઈન્દ્રિય કરતાં પણ દરેકને પોતાનો પ્રાણ (જીવ) વધુ પ્રિય હોય છે. જો ચોરને શિક્ષાર્થે આંખ ફોડી નાખવાનું, કાન કે જીભ કાપી નાખવાનું કહેવામાં આવે તો તેના કરતાં તે લાંબા ગાળાની જેલ ભોગવવાનું વધુ પસંદ કરે છે. જો તેને મૃત્યુદંડ આપવાનો હોય, તો તેની સરખામણીમાં આંખ, જીભ કે કાન કપાય અને પ્રાણ બચે તેવું તે ઇચ્છે છે. તેથી સ્પષ્ટ છે કે, ઇન્દ્રિયો કરતાં પ્રાણ વધુ પ્રિયકર છે. અંતે તો પ્રાણ કરતાં પણ પોતાનો આત્મા સૌથી વધુ પ્રિયતમ છે. માટે જ તપસ્વી, સાધકો કે મુમુક્ષુઓ ઘણીવાર આત્મસાક્ષાત્કાર માટે કે અંતરાત્માની પ્રાપ્તિ માટે પ્રાણની પરવા કર્યા વિના ઘોર તપશ્ચર્યા આદરે છે. અનેક પ્રકારના તપ કે વાતો કરે છે. અન્ન અને પાણીનો પણ ત્યાગ કરી કેટલાક લાંબા ઉપવાસ આદરે છે. જ્યારે સાચો મુમુક્ષુ તો શરીર અને પ્રાણને પોતાનાથી ભિન્ન ગણી તેના ભોગે પણ આત્મસાક્ષાત્કાર ઇચ્છે છે. આ ઉપરથી આત્માનું પ્રિયતમપણું સ્વાભાવિક રીતે સુસ્પષ્ટ થાય છે. આ સત્ય હકીકતનું અનુમોદન બૃહદારણ્યક શ્રુતિમાં જોવા મળે છે. યાજ્ઞવક્ય ઋષિ પોતાની ભાર્યા મૈત્રેયીને આત્માના પ્રિયતમપણા વિશે સમજાવતાં જણાવે છે કે, न वा अरे पत्युः कामाय पतिः प्रियो भवति । आत्मनस्तु कामाय पतिः प्रियो भवति ॥ न वा अरे जायायै कामाय जाया प्रिया भवति । ' માત્મનડુ માય ગાયા પ્રિયા ભવતિ | न वा अरे पुत्राणां कामाय पुत्राः प्रिया भवन्ति । आत्मनस्तु कामाय पुत्राः प्रिया भवन्ति ॥ न वा अरे सर्वस्य कामाय सर्वं प्रियं भवति । आत्मनस्तु कामाय सर्वं प्रियं भवति ॥ [બૃહદારણ્યક ઉપનિષદ-૪/૫/૬] “પતિના સુખને અર્થે પતિ (સ્ત્રીને) વ્હાલો હોતો નથી, પણ સ્ત્રીના) પોતાના સુખને અર્થે (સ્ત્રીને) પતિ પ્રિય લાગે છે. પત્નીના સુખને અર્થે પત્ની પતિને) પ્રિય હોતી નથી, પણ (પત્નીના) પોતાના સુખને માટે જ (પતિને) પત્ની
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy