________________
૨૩ર
કર્મેન્દ્રિય, પાંચ પ્રાણ, ઉપરાંત મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એવા સમગ્ર સમૂહના બનેલા સૂક્ષ્મ શરીરનો અને તેની ક્રિયાઓનો, આત્મા સાક્ષી બને છે. એટલું જ નહીં, ઉપરોક્ત સૂક્ષ્મ શરીર જડ છે, અનાત્મા છે જ્યારે આત્મા તો તે સૌને સત્તા અને સ્કૂર્તિ પ્રદાન કરવા છતાં તેમનાથી ન્યારો અને તેમનો દિષ્ટા રહે છે.
સૂક્ષ્મ શરીર સ્વપ્નાવસ્થા દરમ્યાન સૂક્ષ્મ ભાગોને ભોગવે છે તે જ પ્રમાણે સ્વપ્નાવસ્થામાં સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ દેશમાં પ્રસ્થાન કરે છે અને સ્વપ્નકાળના સૂક્ષ્મ સમયનો પણ અનુભવ કરે છે. આ સૂક્ષ્મ શરીર જે વાસ્તવમાં સ્થૂળ શરીરોને બદલે છે. પરંતુ જે કોઈ આત્મસાક્ષાત્કાર કરે છે કે જીવન્મુક્ત થાય છે તેના સૂક્ષ્મ શરીરના જ્ઞાનમાં બાધ થાય છે. શાસ્ત્રો જણાવે છે કે તેવા આત્મજ્ઞાનીને પ્રાણ સ્થૂળ શરીર છૂટતાંની સાથે ઉત્ક્રમણ કરતો નથી, પરંતુ બ્રહ્મને જાણી બ્રહ્મસ્વરૂપ જ થઈ જાય છે અને તેવા જ્ઞાનીનું સૂક્ષ્મ શરીર ઉત્ક્રમણ અને સંક્રમણના ચક્રમાંથી સદાને માટે આત્યંતિક મુક્તિને પામે છે. સામાન્ય અજ્ઞાનીજનના સંદર્ભમાં તો સૂક્ષ્મ દેહ, જાણે સ્થૂળ દેહરૂપી વાહનનો ડ્રાઈવર હોય, તેવું કાર્ય કરે છે. વાહનચાલક કે ડ્રાઈવર જેમ વાહન હંકારે તેમ જ વાહન ગતિ કરે છે, તેવી જ રીતે સૂક્ષ્મ શરીરરૂપી ચાલક નક્કી કરે તેવી દિશામાં સ્થૂળ શરીરરૂપી વાહન પ્રયાણ કરે છે. જેમ ડ્રાઈવર વાહનને એક સ્થળે ઊભું રાખી કે પાર્ક કરી વિહાર કરવા જાય તેવી જ રીતે સૂક્ષ્મ શરીરરૂપી ડ્રાઈવર અંત સમયે સ્મશાનમાં વાહન પાર્ક કરીને વાહન સાથેની આસક્તિ તોડીને, તાદાત્મ છોડીને ચાલ્યો જાય છે અને પછી કદી તે સ્થળ શરીર તરફ જોતો નથી. હવે તે અતૃપ્ત વાસના પ્રમાણે નવું શરીર પ્રાપ્ત કરે છે અને પૂર્વ સંસ્કારના બળે નવા શરીર દ્વારા કર્મફળ કે સુખ-દુઃખ ભોગવે છે. તાત્પર્યમાં સૂક્ષ્મ દેહ, લિંગ શરીર, વાસના શરીર કે (SUBTLE BODY) અંતવાહક એ બધાં જ અન્યોન્યના પર્યાય છે. માટે મુમુક્ષુએ મુંઝાવું નહીં. આત્મજ્ઞાની કે જીવન્મુક્ત પુરુષનો સૂક્ષ્મ દેહ જ્ઞાનમાં જો બાધિત થઈ જાય તો તે જીવે કેવી રીતે? તેવી શંકાના સમાધાનમાં સમજવું કે જીવન્મુક્ત કંઈ જ્ઞાન થતાં સ્થૂળ દેહે મૃત્યુ પામતો નથી. પરંતુ તેને સ્થૂળ દેહ સાથે લેશમાત્ર