SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ (૧) પ્રાણ ઃ પ્રાણીમાત્રને ભૂખ લાગવી એ પ્રાણવાયુનો ધર્મ છે. જયારે જઠરાગ્નિ ઉદ્દીપ્ત થાય છે ત્યારે પ્રાણી ખાવાની ચેષ્ટા કરે છે અને તે સમયે પ્રાણવાયુ પણ ગરમ થાય છે. આમ, પ્રાણવાયુ જઠરાગ્નિ સાથે ભળી જઈને જ ખોરાકનું ભક્ષણ કરે છે. એવું પણ કહેવાય છે કે દિવસ દરમિયાન ૨૧,૬૦૦ વાર પ્રાણ, શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. પ્રાણવાયુની આવી ક્રિયામાં ખામી થવાથી જઠરાગ્નિ મંદ પડે છે અને તેના લીધે પાચનશક્તિ પણ ધીમી થાય છે તેમજ ભૂખ ઓછી લાગે છે. આવી આહારની મુખ્ય ક્રિયાનું નિયંત્રણ પ્રાણ દ્વારા થાય છે. તદુપરાંત પ્રાણ, સ્થૂળ અને સૂક્ષ્મ શરીરના જોડાણનું કાર્ય પણ કરે છે અને સંપૂર્ણ શારીરિક ક્રિયાઓની જવાબદારી ઉપાડે છે. તેમ છતાં વિશેષ કરીને પ્રત્યક્ષીકરણ(PERCEPTION)ની સંપૂર્ણ ક્રિયા પ્રાણ દ્વારા જ થાય છે. જેમ કે જોવું, શ્રવણ કરવું, સ્પર્શ, સ્વાદ અને સૂંઘવાની ક્રિયાઓનું નિયંત્રણ કરવામાં પ્રાણ મહત્ત્વનો ભાગ ભજવે છે. (૨) અપાન ઃ અપાન વાયુ જીવનની મહત્ત્વની ક્રિયા, જેને મળ-મૂત્ર વિસર્જનની ક્રિયા કે ઉત્સર્ગતંત્ર કહેવામાં આવે છે, તેનું નિયમન. કરે છે. જ્યારે અપાન વાયુની ગતિ મંદ પડે છે, તેની ક્રિયા શિથિલ થાય છે, ત્યારે મળ–મૂત્રના વિસર્જનમાં અવરોધ ઉત્પન્ન થાય છે અને ગેસ, અપચો બંધકોષ જેવી તકલીફ થતી હોય છે. આમ, એનો એ જ પ્રાણ જયા૨ે ઉત્સર્ગતંત્રનું (EXCRETORY SYSTEM)નું નિયંત્રણ કરે છે ત્યારે તેનું નામ અપાન થઈ જાય છે અને આ અપાન વાયુ મુખ્યત્વે દ્વારપાળની જેમ ગુદાદ્વાર પાસે વસે છે. (૩) વ્યાન : વ્યાન વાયુ શરીરમાં સર્વવ્યાપ્ત રહે છે. પરંતુ વિશેષ કરીને શરીરના દરેક અંગના સાંધાઓ વાળવાની જવાબદારી તેના માથા ઉપર છે. આ વ્યાન વાયુની ગતિ મંદ પડી જાય ત્યારે ગઠીયો વા (ARTHRITIS), સાંધા જકડાઈ જવા, ઢીંચણ, કોણી અને ગરદન જેવી અંગ વાળવાની જગ્યાઓએ સાંધા વાળતા દર્દ થવું અને સાંધા ઝલાઈ ગયા છે તેવી તકલીફ જોવા મળે છે. તદુપરાંત વ્યાન વાયુ પાચનતંત્ર (DIGESTIVE
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy