SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ મોહ એજ મુમુક્ષુઓ માટે મહાનમૃત્યુ છે. મોહને મહામૃત્યુ તરીકે જણાવી આચાર્યશ્રી ઉપદેશે છે કે જેણે આવા મોહ ઉપર જીત મેળવી તેનો નાશ કર્યો છે અર્થાત્ જેણે દેહતાદાત્મ્ય, અહંભાવ, મમભાવ વિગેરેનો ત્યાગ કર્યો છે અગર જ્ઞાનમાં તેવા અજ્ઞાનનો બાધ કર્યો છે તેવો મનુષ્ય જ મોક્ષ કે મુક્તિરૂપી પદને પ્રાપ્ત કરે છે. એવો મોહનિર્યુક્ત થયેલો જ આત્મજ્ઞાનનો અધિકારી થઈ આત્મજ્ઞાનના ફળરૂપે પરમપદ જેવી મુક્તિને પ્રાપ્ત કરે છે. શિષ્યને મોહના ત્યાગ માટે અને પરમપદની પ્રાપ્તિ માટે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરાં પાડવા આચાર્યશ્રી તે પછીના શ્લોકમાં શિષ્યને જણાવે છે કે સ્થૂળ શરીર, સ્ત્રી, પુત્ર વિગેરેમાં જે મહામૃત્યુ જેવો મોહ છે તેને તું દેઢતાપૂર્વક જ્ઞાનની તલવાર દ્વા૨ા કાપી નાંખ કે આત્મજ્ઞાન કે વિવેકના બળે તેવા મોહ ઉપર વિજય પ્રાપ્ત કર. કા૨ણ કે પૂર્વે અનેક ઋષિમુનિઓએ મોહ પર વિજય મેળવીને જ ભગવાન વિષ્ણુના પરમપદની પ્રાપ્તિ કરેલી છે. માટે તારા જેવા શ્રેયાર્થીએ પણ ઋષિમુનિઓની જેમ પ્રયત્ન ક૨વો જોઈએ. કઠશ્રુતિ પણ વિષ્ણુના પરમપદની પ્રાપ્તિ માટે આવો જ ઉપદેશ આપતાં જણાવે છે કે, “विज्ञानसारथिर्यस्तु मनः प्रग्रहवान्नरः । સોધ્વનઃ પારમાનોતિ તદ્ધિોઃ પરમં પવમ્ ॥'' (કઠશ્રુતિ-૧-૩-૯) ‘‘જે કોઈ માણસ વિવેકશીલ બુદ્ધિરૂપ સારથિથી સંપન્ન અને મનરૂપ લગામને વશમાં રાખનારો છે તે સંસારમાર્ગની પાર પહોંચીને પરબ્રહ્મરૂપ (વિષ્ણુના) પરમાત્માના તે પરમ પદને પામે છે.’’ (છંદ-અનુષ્ટુપ) त्वङ्मांसरुधिरस्नायुमेदोमज्जास्थिसङ्कुलम् । पूर्ण मूत्रपुरीषाभ्यां स्थूलं निन्द्यमिदं वपुः ॥८६॥ ત્વ-માંસ-રુધિર-સ્નાયુ-મેવ-મખ્ખા- = ચામડી, માંસ, લોહી, સ્નાયુ, મેદ, મજ્જા અને હાડકાંનો સમૂહ अस्थिसङ्कुलम्
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy