________________
જેને
જીતીને
મુનિઓ
વિષ્ણુના
પરમ પવમ્ = ૫૨મ પદને यान्ति પામે છે
यम् जित्वा
मुनयः
વિઘ્નોઃ
=
=
=
=
=
૨૧૪
तत्
= તે
વેહવારસુતાવિજી = દેહ, સ્ત્રી, પુત્ર
વગેરેમાં
महामृत्युम् मोहम्
जहि
મહામૃત્યુરૂપ
મોહનો
= નાશ કરે.
=
=
દેહાત્મબુદ્ધિવાળા માટે સંસારતરણ અતિમુશ્કેલ છે અને તેઓ મુક્તિરૂપી કિનારે ન પહોંચતા, અધવચ્ચે ડૂબે છે તેવું જણાવી હવે પછીના બે શ્લોકમાં શંકરાચાર્યજી મોહનું સ્વરૂપ અને મોહથી મુક્ત થના૨ો જન્મ-મૃત્યુના ચક્રને કાપી કેવી રીતે પરમપદને પામે છે તે દર્શાવે છે.
અત્રે દેહ કે શરીર તો અનેક પ્રકારના મોહનું પ્રતીક માત્ર છે. જેમ અજ્ઞાનીને પોતાના શરીરમાં રાગ, આસક્તિ કે મોહ જન્મે છે અને માટે જ તે શ૨ી૨માં, અહંભાવ અને મમભાવ ઉત્પન્ન કરી, ‘શરીર મારું છે’ તેવું માની, શ૨ી૨નાં પોષણાર્થે, ભોગાર્થે સમય બરબાદ કરી, દુ:ખ અને દર્દમાં પડે છે. ‘હું શરીર છું’, એવા અહંભાવથી જ કર્તાભાવે કર્મ કરી, કરેલાં કર્મનાં ફળ ભોગવવા વર્તમાન શરીર છોડી પુનઃ નવું શરીર પ્રાપ્ત કરવા માતાના ગર્ભમાં પ્રવેશ કરે છે. મળ અને મૂત્ર વચ્ચે ગર્ભની અંધારી કોટડીમાં નવ મહિના યાતના સહન કરે છે અને પુનઃ જન્મે છે. આમ, શરીરનાં કર્મોને પોતાના માની, કર્મ ભોગવવા માટે જન્મ અને મૃત્યુનાં ચક્રમાં પડે છે. તેનું કારણ માત્ર શરીરનો મોહ, ખોટું શરીરતાદાત્મ્ય અને શરીરમાં રહેલો અહંભાવ જ છે. જે કોઈ પોતાને શ૨ી૨ માને છે તે જ ક્ષણે તે મૃત્યુને આધીન થાય છે, કારણ કે શરીર તો જડ છે ચેતનહીન છે. જન્મમૃત્યુના ચક્રને વરેલું છે. જયા૨ે આત્મા તો અશરીરી અને અજન્મા છે, છતાં પોતાને શ૨ી૨ માનવારૂપી મોહ જ તત્કાળ મૃત્યુ છે. શરીરનું મૃત્યુ તો પ્રારબ્ધ પૂર્ણ થતાં નિશ્ચિત થવાનું જ છે. પરંતુ શરીરનાં મોહમાં પોતાને શ૨ી૨ માનનારો તો દેહ છૂટતાં પૂર્વે જ મૃત્યુને પામે છે. માટે જ આચાર્યશ્રીએ જણાવ્યું છે કે “મોહઃ વ મુમુક્ષોઃ મહામૃત્યુઃ’