________________
૬
રહસ્યોને સમજાવવામાં આવેલાં છે. વિવેક પણ શાસ્ત્રનો એક પારિભાષિક શબ્દ છે. આપણા સમાજમાં આ શબ્દ ખૂબ જ ચૂંથાયેલો છે. કોઈને ઘરે જઈએ અને ચા-પાણી વિશે ન પૂછે, તો કહેવાય છે કે “બહુ અવિવેકી છે.” અત્રે આવા વ્યાવહારિક વિવેકની વાત કરવાની નથી. પરંતુ શાસ્ત્રજન્ય પારિભાષિક શબ્દ “વિવેક'ની ચર્ચા જ અત્રે થયેલી છે. અહીં એવો વિવેક સમજવાનો છે કે જેનો અર્થ સમજયા બાદ, શબ્દોને છોડી તેના અર્થના સંકેતો પકડવાના છે, શબ્દો દ્વારા શબ્દથી પર શબ્દાતીત તત્ત્વમાં પ્રવેશ કરવાનો છે. આ ગ્રંથનો સંપૂર્ણ વિષય “વિવેક' શબ્દ ઉપર રચાયેલો છે માટે “વિવેક ચૂડામણિ' એવું ગ્રંથનું નામ છે.
વિવેક એક શબ્દ છે, માટે વિવેક સમજતાં પૂર્વે શબ્દ એટલે શું? તે સમજવાનો પ્રયત્ન કરીએ. શબ્દ તો વાહન છે. જેમ વાહનમાં મુસાફરો મુસાફરી કરે છે તેમ શબ્દરૂપી વાહનમાં અર્થરૂપી સંકેતો મુસાફરી કરે છે.
શ્રોતા” બસ-સ્ટેન્ડ છે અને વક્તા વાહન મોકલનાર છે. જયારે બસ, બસ-સ્ટેન્ડ પાસે જઈને ઊભી રહે છે ત્યારે તેમાંથી કેટલાક મુસાફરો ઉતરી જાય છે તેવી જ રીતે જયારે શબ્દરૂપી વાહન કાનરૂપી બસ-સ્ટેન્ડ પાસે આવે છે ત્યારે સંકેતરૂપી મુસાફરો ઊતરી જાય છે. આ શબ્દરૂપી વાહનમાંથી સંકેતો સરીને જયારે હ્મયગમ્ય બની જાય ત્યારે શ્રવણ કર્યું છે એવું કહી શકાય. આજે સમાજમાંથી શ્રવણ કરવાની પરંપરા નષ્ટપ્રાય થઈ ચૂકી છે. લોકોને સાંભળતા આવડે છે પણ શ્રવણ કરતાં આવડતું નથી. શબ્દરૂપી વાહન કાનરૂપી સ્ટેન્ડ પાસે આવે છે પણ સંકેતો Æયગમ્ય થતા નથી. તાત્પર્ય એ છે કે આવા “વિવેક' જેવા પારિભાષિક શબ્દોનું જયારે શ્રવણ કરીએ ત્યારે એકાગ્રતાથી શ્રવણ થવું જોઈએ. પ્રતિક્રિયારહિત શ્રવણ જ શ્રેષ્ઠ શ્રવણ છે. આવું શ્રવણ કરતાં જો આવડે તો શ્રવણ કરતાં કરતાં સાક્ષાત્કાર થઈ શકે તેમ છે. શ્રવણ માત્રથી શિષ્યને જ્ઞાન થયું હોય એવા અનેક પ્રસંગો ઉપનિષદો અને શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યા છે. છાંદોગ્યોપનિષદમાં શ્વેતકેતુને તત્ત્વમસિ મહાવાક્યનો ઉપદેશ આપવામાં આવ્યો હતો. એકવાર ઉપદેશ આપ્યાથી શ્વેતકેતુને જ્ઞાન ન થયું માટે બીજીવાર ઉપદેશ આપવામાં આવ્યો. ત્રીજીવાર,ચોથીવાર એમ નવ-નવ વખત ગુરુએ સદષ્ટાંત ઉત્તર આપ્યો ત્યારે