________________
જ નથી. તાત્પર્યમાં, વૈરાગ્ય વિના ન તો સંસારસાગર તરી શકાય, ન તો શાસ્ત્રોમાં છુપાયેલું અસંગ શસ્ત્ર પ્રાપ્ત થઈ શકે. માટે મોક્ષના અનેક સાધનોમાં જે મહત્ત્વનું છે તે વૈરાગ્ય છે અને વૈરાગ્યનો મહિમા દર્શાવવા માટે અત્રે અનેક દૃષ્ટાંતો દ્વારા તેની સઘન ચર્ચા કરવામાં આવી છે.
(છંદ-અનુષ્ટુપ) विषयाख्यग्रहो येन सुविरक्तयसिना हतः ।
स गच्छति भवाम्भोधेः पारं प्रत्यूहवर्जितः ॥८२॥
येन
જેણે
विषयाख्य-ग्रहः વિષય નામના મગરને
=
૨૦૭
=
સુવિરહિ—મતિના= દેઢ વૈરાગ્યરૂપી તલવારથી
હતઃ
सः
-
- મારી નાંખ્યો છે,
= તે
પ્રવ્યૂહનિતઃ = નિર્વિઘ્નતાથી भवाम्भोधेः - સંસારસાગરને પાર રાઘ્ધતિ= તરી જાય છે.
–
શાસ્ત્રોમાં અને વિશેષ કરીને ભગવદ્ગીતાના પંદરમા અધ્યાયમાં જે અસંગ શસ્ત્રની વાત કરવામાં આવી છે, તે અસંગ શસ્ત્ર એટલે જ વૈરાગ્યરૂપી તલવારની વાત છે. સંગ એટલે રાગ અને રાગનું જે છેદન કરે, રાગને જે કાપી નાંખે, રાગને જે નિર્મૂળ કરી તેની આત્યંતિક નિવૃત્તિ જીવનમાં આણે, તેવા શસ્ત્રને અસંગ શસ્ત્ર કહ્યું છે અને તેવા અસંગ શસ્ત્રને જ અત્રે શંકરાચાર્યજી વિરક્તિ કે વૈરાગ્યની ધારદાર તલવાર તરીકે જણાવે છે. ‘‘સુવિરક્તિઃ વ અતિ: તેન હતઃ''= જે તીવ્ર વૈરાગ્યરૂપી તલવાર વડે હણાયો છે, જેણે વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે કે તલવાર દ્વારા વિષયાસક્તિરૂપી મગરને હણ્યો છે, તે જ સંસારસાગરને તરવા વિઘ્નરહિત થયો છે. તેને માટે જ ભવસાગરનું તરણ સરળ અને સુગમ છે. વાસ્તવમાં તો વિષયાસક્તિની આત્યંતિક નિવૃત્તિ કરવી એટલે જ બંધનની ત્યંતિક નિવૃત્તિ ગણાય છે. મોટામાં મોટું બંધન કે મહાન વિઘ્ન જ વિષયાસક્તિનું હોય છે. તેને જે દૂર કરી શકે છે તે જ