________________
૨૦૬
ઇન્દ્રિયોના વિષયોની આસક્તિ કે રાગને બંધન તરીકે વર્ણવી તેવી વિષયાસક્તિ જ મોક્ષમાર્ગે અનુલ્લંઘનીય વિજ્ઞ છે, તેવું જણાવી હવે ઉપરોક્ત ચર્ચાના નિષ્કર્ષમાં જણાવે છે કે શબ્દાદિ વિષયોનો રાગ જ બંધનનું મૂળ કારણ છે. તે જ મહાન દુઃખ છે. તેથી સ્પષ્ટ છે કે જેનો ત્યાગ કરવો કપરું કાર્ય છે તેમ છતાં જો કોઈ ઉપાય દુષ્કર વિષયત્યાગ શક્ય બને તો જ બંધનમાંથી મુક્તિ મળે છે. આ જ શાસ્ત્રોનો સંદેશ છે. શ્રુતિઓનો ઉપદેશ છે કે અઢાર પુરાણોનો સાર છે. વિષયોના ત્યાગ વિના ભલેને કોઈ પદર્શનાચાર્ય કે છ એ છ શાસ્ત્રનો વિદ્વાન, પારંગત કે આચાર્ય બન્યો હોય પરંતુ તે જીતેન્દ્રિય ન થયો હોય કે તેણે વિષયોને વિષવત સમજી તેનો ત્યાગ ન કર્યો હોય તો તેવો વિષર્યોનો દાસ શાસ્ત્રવેત્તા હોવા છતાં વિષયોના પાશમાં બધ્ધ છે. તેવા વિષયાસક્તને તો મુક્તિના પડછાયામાં પણ પ્રવેશ મળતો નથી.
| (છંદ-ઉપજાતિ) आपातवैराग्यवतो मुमुक्षून्
भवाब्धिपारं प्रतियातुमुद्यतान् । आशाग्रहो मज्जयतेऽन्तराले ..
.. निगृह्य कण्ठे विनिवर्त्य वेगात् ॥८॥ ભવચ્ચિપરમ = સંસારસાગરને આશા = આશારૂપી મગર પ્રતિચાતુમ્ = પાર કરવાને વેતુ વિનિવર્ય = વેગથી પાછો ફરી ઉઘતાનું = તૈયાર થયેલા ડે નિગૃહ્ય = ગળેથી પકડી બાપાતવૈરાગ્યવત: આપાત વૈરાગ્યવાળા સન્તાન્ત = વચ્ચે જ મુમુન =મુમુક્ષુને મmતે = ડુબાડી દે છે.
ઉપરોકત વિચારને વિસ્તરતા જણાવે છે કે જે વિષયાસક્ત પુરુષો માત્ર સ્મશાનવૈરાગ્ય દ્વારા સંસારસમુદ્રને પાર કરવા તૈયાર થયા છે તેવા ભીરુ, રાગી પુરુષોને વિષયાસક્તિરૂપી મગર સંસારસમુદ્રની વચ્ચે જ ગળું પકડીને ડૂબાડી દે છે. તેઓ મોક્ષના કિનારા સુધી પહોંચી શકતા