SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ પતંગા એ નહીં સમજે અગર સમજે તો કહી દેજે દીપકથી દાઝવા કરતાં મજા છે દૂર રહેવામાં.” નિષ્કર્ષમાં હરણ, હાથી, પતંગિયું , માછલી અને ભ્રમર જો એક એક વિષયમાં આસક્ત છે અને માત્ર એક જ વિષયની આસક્તિ તેમની શક્તિ હીણ કરી તેમને વિનાશના માર્ગે ખેંચી જઈ અત્યંત શોચનીય પરિણામ પેદા કરે છે તો મનુષ્ય કે જે જ્ઞાનેન્દ્રિયોના પાંચે પાંચ વિષયો, જેવાં કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધમાં મોહાસક્ત બન્યો હોય, પાગલ અને પાપી બન્યો હોય તો તેવા મનુષ્ય માટે આપણે શોક કરવો કેટલો? દયા સંચિત કરવી કેટલી? સહાનુભૂતિ એકત્ર કરી દાખવવી કેટલી? | (છંદ-અનુષ્ટ્રપ) दोषेण तीव्रो विषयः कृष्णसर्पविषादपि । વિષે નિહન્તિ મોગર દૃષ્ટાર વકુષાણયમ્ II૭૬ll વિષય: = વિષય મોરમ્ = ખાનારને જ Mાસવિષાત્ પ = કાળા સાપના નિત્તિ = મારે છે.(જયારે) વિષથી પણ ૩ય = આ વિષય તો) રોગ તીવ્રઃ = અધિક દોષવાળો છે. વસુષા = નજરથી વિષમ્ = (કારણ કે) વિષ દૃષ્ટા માપ = જોનારને પણ (મારે છે.) પૂર્વે શબ્દાદિ પાંચ વિષયોથી ઉત્પન્ન થતું બંધન સદષ્ટાંત સમજાવામાં આવ્યું. ત્યારબાદ તે જ વિષયનો વિસ્તાર કરતા અત્રે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ જેવા ઇન્દ્રિયોના વિષયો ઝેરી સર્પના ઝેર કરતાં પણ વધુ ઝેરી અને ઘાતક હોય છે તેવું જણાવતાં દર્શાવ્યું છે કે કાળા ઝેરી સર્પનું ઝેર તો જેને સર્પ કરડે તેને જ ચઢે છે. જ્યારે શબ્દ આદિ વિષયોનું ઝેર તો તેના સમાગમ કે સ્પર્શ વિના જ ચઢે છે. શબ્દાદિ વિષયનો સીધે સીધો સ્પર્શ ન થાય પરંતુ માત્ર દૂરથી તે દશ્ય થાય કે જો તેવા શબ્દનું દૂરથી શ્રવણ થાય તો પણ વ્યક્તિ વિષયસ્પર્શ પૂર્વે ઘાયલ થઈ,
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy