________________
૧૭ર
ત્યારે હાર શોધનાર બેનના ગળામાં તે લટકતો જોઈ તે બેનને હારની પ્રાપ્તિ કરાવે છે. ગળામાં લટકતાં હાર પ્રત્યે સ્વજનના કહેવાથી દષ્ટિ નાંખવાથી બેનને ખોવાયેલો હાર પાછો મળે છે. આ ક્રિયામાં વાસ્તવમાં હાર ખોવાયો નહોતો. તે છતાં તેની શોધ હતી. તેવી જ રીતે આત્મા મુજથી ભિન્ન નથી છતાં પણ તેનાથી અજ્ઞાત આપણે તેની પ્રાપ્તિના પ્રયત્નો આદરીએ છીએ. સ્વજનના કહેવાથી ખોવાયેલો હાર પોતાની પાસે જ, પોતા વડે જ, પોતાને જ પ્રાપ્ત થાય છે. તે જ પ્રમાણે આપ્તજન એવા ગુરુવચનો જેવાં કે, “તનું ત્વમ્ મસિ’ ‘તે તું છે.', વગેરે દ્વારા જીવાત્મા અને પરમાત્માની એકતા સંબંધી ઉપદેશ દ્વારા તે આત્મા હું જ છું એ પ્રમાણે બોધ થાય છે. અર્થાત મહમૂ(હું = જીવાત્મા) એ જ તત (તે = પરમાત્મા છું, એવી અભેદાનુભૂતિને જ આત્મસાક્ષાત્કાર એટલે કે બ્રહ્મ અને આત્માના એકત્વનું જ્ઞાન કહે છે. આવા જીવાત્મા અને પરમાત્માના ઐક્યનું જ્ઞાન થતાં જ મોક્ષ કે મુક્તિ પ્રાપ્ત થાય છે તેવું જગદ્ગુરુ શંકરાચાર્યજી અહીં સ્પષ્ટપણે સમજાવે છે. જીવ-બ્રહ્મ ઐક્યના જ્ઞાન વિના મુક્તિ કે મોક્ષ મળી શકે નહીં તે વિચારને વધુ સ્પષ્ટ કરવા તેમજ તેને દઢ કરવા માટે હવે પછીના શ્લોકોમાં શંકરાચાર્યજી વિવિધ ઉદાહરણ દ્વારા તેની વિશદ છણાવટ કરે છે.
| (છંદ-અનુષ્ટ્રપ) वीणायाः रूपसौन्दर्यं तन्त्रीवादनसौष्ठवम् । प्रजारञ्जनमात्रं तद् न साम्राज्याय कल्पते ॥५६॥ वाग्वैखरी शब्दझरी शास्त्रव्याख्यानकौशलम् ।
वैदुष्यं विदुषां तद्वद् भुक्तये न तु मुक्तये ॥६०॥ વીપાયા રૂપસૌન્દર્યમ્ = (જેમ) વીણાના રૂપનું સુંદરપણું તત્રીવાહનસીઝવમ્ = તેના તાર વગાડવાની કુશળતા तत्
= તે (આ બધું) પ્રારંગનમાત્રમ્ = લોકોની પ્રસન્નતા માટે છે. साम्राज्याय
= સામ્રાજ્યની પ્રાપ્તિ માટે न कल्पते
= (તેને સાધન) ન કહેવાય.