SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ (છંદ-અનુષ્ટ્રપ) पथ्यमौषधसेवा च क्रियते येन रोगिणा । आरोग्यसिद्धिदृष्टास्य नान्यानुष्ठित कर्मणा ।। ५५।। કેન = જે મારસિદ્ધિઃ આરોગ્યની પ્રાપ્તિ(થતી) રોગ = રોગી વૃષ્ટ: = જોવામાં આવે છે. પૃથ્યમ્ = પથ્થ(પરેજી) અને કન્યાનુષ્ઠિતર્મા = અન્યના સેવેલા મોષ સેવા ૨ = ઔષધોનું સેવન (પથ્ય અને ઔષધસેવનરૂપી) જિયતે = કરે છે, " કર્મ વડે યસ્ય = એને ન = (આરોગ્યપ્રાપ્તિ) થતી નથી.' વ્યાધિગ્રસ્ત વ્યક્તિ અથડાતી કૂટાતી લોકો પાસે પોતાના દુઃખના ગાણા ગાતી હોય તો તેમ કરવા માત્રથી તે વ્યાધિમુક્ત થઈ શકે નહીં. તે માટે તો તેણે વૈદ પાસે જઈ પોતાનું દર્દ બતાવી દવા લેવી પડે છે. ધારો કે કોઈ વ્યક્તિ માથાના દુઃખાવાથી પીડિત થતી હોય તો તે ડોક્ટર પાસે જઈ દવા માટેનું સૂચિપત્ર મેળવે છે. તે પત્ર ચોવીસ કલાક ખીસામાં મૂકી સતત બૂમો પાડે છે કે મને પુષ્કળ માથું દુઃખે છે. પણ આમ કરવાથી તેનું શિરદર્દ મટતું નથી. પરંતુ ડોક્ટરે લખી આપ્યા પ્રમાણેની દવા તેને પ્રાપ્ત કરવી પડે છે. ઘણીવાર એવું બને કે દવાના ઢગલા ઘરમાં ભેગા કર્યા હોય અને દર્દી રોગમુક્ત ન થતી હોય તો એક મુદ્દો સ્પષ્ટ છે કે તેણે દવા તો ભેગી કરી છે, પરંતુ દવા તેણે આરોગી નથી. આમ, દવા હોય પરંતુ રોગી તેને ન આરોગી શકે તો તે નિરોગી બનતી નથી. આવા રોગીની દવા જો કોઈ નિરોગી વ્યક્તિ લે તો તેનો ફાયદો રોગીને થતો નથી અને રોગી વ્યક્તિ રોગગ્રસ્ત જ રહે છે. રોગી વ્યક્તિ જો રોગમુક્ત થવા ઇચ્છતી હોય તો તેણે પોતે જ દવા લેવી પડે છે. આ જ પ્રમાણે દુઃખમાંથી મુક્તિનો ઉપાય પણ વ્યક્તિએ સ્વયં જ કરવો પડે છે. રોગીએ જેમ વૈદ પાસેથી દવાની સૂચિ મેળવવી પડે તેમ મોક્ષાર્થીએ શાસ્ત્ર-અધ્યયનાર્થે શાસ્ત્રો પ્રાપ્ત કરવા પડે. ત્યારબાદ રોગીને દવા પ્રાપ્ત કરવી પડે તે પ્રમાણે મુમુક્ષુએ પણ શાસ્ત્રોની
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy