SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર જ છે કે, “સંસાર છે માટે આપણે સંસારી નથી પરંતુ આપણે સ્વયંને સંસારી માનીએ છીએ તેથી સંસાર સર્જાય છે.” ખરેખર તો સંસાર જ નથી તો સંસારી ક્યાં? તેમજ સંસાર નથી, સંસારી નથી તો દુઃખ ક્યાં છે? કોને છે? સંસારી જ સંસારના દુઃખોથી દુઃખી થાય. પરંતુ વિવેકજ્ઞાનરૂપી અગ્નિ વડે સમજી શકાય કે, “હું દેહ નથી, દેહસંઘાત મારે નથી તો સંસાર કેવો? જયાં સંસાર જ નથી તો સંસારી કેવો?” આવા આત્મા-અનાત્માના વિવેકાગ્નિ દ્વારા અજ્ઞાનને દૂર કરવામાં આવે તો અજ્ઞાનજનિત દેશ્યપ્રપંચનો, સંસારનો, તેના મૂળ “અજ્ઞાન' સહિત નાશ થાય છે. માટે જ અત્રે જણાવાયું છે કે, “વિવે-૩તિ-વાઘ-વઃિ સમૂર્ત મજ્ઞાનવાર્ય પ્રતહેતુI’ ‘વિવેકાગ્નિ - અજ્ઞાનજન્ય સંસારને મૂળ સાથે સળગાવી દેશે.” અજ્ઞાનને લીધે સંસાર જન્મે છે તેથી અજ્ઞાન સંસારનું કારણ થયું અને સંસાર કે જગત તેનું કાર્ય થયું. અર્થાત્ અજ્ઞાનરૂપી બીજમાંથી જ સંસારરૂપી વૃક્ષનો જન્મ થાય છે. આમ હોવાથી જ અજ્ઞાનનો નાશ કરવામાં આવે તો તેના કાર્ય તેવા સંસારનો પણ નાશ થઈ જાય. બીજને બાળી નાખીએ તો વૃક્ષ આપોઆપ બળી જાય છે. જારના? વાર્ય નાસ્તિ !” અજ્ઞાનના નાશમાં જ સંસારનો સમૂલ નાશ રહેલો છે. આત્મા-અનાત્માનો વિવેક જ અજ્ઞાન નિર્મૂળ કરી સંસારનો બાધ કરે છે. તેથી સંસારજન્ય દુઃખની નિવૃત્તિ માટે અજ્ઞાનનાશનો ઉપાય એવા વિવેકજ્ઞાનની પ્રાપ્તિ કરવી અનિવાર્ય છે. અર્થાત્ આત્મજ્ઞાન જ સર્વ દુઃખોની નિવૃત્તિનો શ્રેષ્ઠ ઉપાય છે. સંસારતાપથી ત્રાસેલા તમામ મનુષ્યોએ પણ દુઃખમુક્તિની પ્રાપ્તિ માટે અજ્ઞાનનાબૂદીનો જ મહત્ત્વનો માર્ગ અપનાવવો આવશ્યક છે. અજ્ઞાનનિવૃત્તિ એ જ પરમાનંદની પ્રાપ્તિનું એક માત્ર ઉત્તમોત્તમ સાધન છે, તેવું જાણતાં જ શિષ્ય હવે, અજ્ઞાનનાબૂદીને પંથે પ્રયાણ કરવા તત્પર બને છે. અભયદાન પ્રાપ્ત, ગુરુની કરુણાના પાત્ર બનેલો શિષ્ય હવે નિખાલસતાપૂર્વક પ્રશ્ન રજૂ કરવા તૈયાર થાય છે.
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy