SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ જન્મોજન્માંતરના આ દુઃખમાંથી, આપની કૃપાવાણી વરસાવી જ્ઞાનામૃતરૂપી વાક્યોથી અભિસિંચિત કરી, મારા અનાદિ અજ્ઞાનને મિટાવી, બ્રહ્માનંદરસનું પાન કરાવી સંતૃપ્તિ બક્ષો, કે જેથી આપની કૃપાસંપન્ન થઈ હું જીવનને ધન્ય બનાવું, સફળ બનાવું, કૃતકૃત્યતા પ્રાપ્ત કરું.” ગુરુ પ્રત્યેની ભક્તિભાવના તથા અવિચળ શ્રદ્ધાને અભિવ્યક્ત કરી કૃપાની યાચના કર્યા બાદ હવે પછીના શ્લોકમાં શિષ્ય, પોતાની શંકા અભિવ્યક્ત કરી મુક્તિના ઉપાય વિશે પ્રશ્ન પૂછે છે. (છંદ-ઉપજાતિ). कथं तरेयं भवसिन्धुमेतं का वा गतिर्मे कतमोऽस्त्युपायः । जाने न किञ्चित् कृपयाऽव मां प्रभो संसारदुःखक्षतिमातनुष्व ॥४२॥ તમ્ = આ ઉપાય: = ઉપાય ભવસધુમ્ = સંસારસાગરને ગતિ = છે? વિન્વિત્ = (હું) કંઈ પણ થમ્ = કેવી રીતે न जाने. = જાણતો નથી.' તરેયમ્ = તરું? vમો = હે પ્રભુ ! વા = વળી, મામ્ = મને P = મારી કૃપયા = કૃપા કરીને I = શી. अव = બચાવો.(મારા) પતિઃ = ગતિ (થશે?) સંસાર૯ઃ-માતનુq=સંસારરૂપી વતમ્ = (સંસારસાગરને તરવાનો) કોઈ ક્ષતિમ્ = નાશ કરો. ભવવ્યાધિમાં સંતપ્ત શિષ્ય હવે ગુરુની સ્તુતિ કર્યા બાદ, અત્યંત વિનયપૂર્વક, નમ્રતાયુક્ત થઈ ભવભયમાંથી મુક્ત થવા પ્રશ્ન કરે છે. દુસ્તર ભવસાગરને પોતે કેવી રીતે કરી શકે તેનો ઉપાય પૂછે છે. સાગરનો અંત પ્રત્યક્ષ નથી તેમ અજ્ઞાનીને ભવસાગરનો અંત અદશ્ય છે. તેથી સુખ અને દુ:ખનો
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy