SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ તો ઠંડી અને ગરમીની જેમ આવનારા અને જનારા હોવાથી અનિત્ય છે. માટે હે ભારત! તેમને તું સહન કર.” આમ પ્રારબ્ધગત, સંજોગવશાત પ્રાપ્ત થનારા સુખ અને દુઃખ ઇન્દ્રિયજન્ય તથા ઉત્પન્ન થનારા અને નાશ પામનારા હોવાથી અનિત્ય છે તેમ જાણી પ્રતિક્રિયા રહિત થઈ જીવન જીવવું જોઈએ. જો આ ન સમજાય તો પોતાને પ્રાપ્ત અડધા રોટલાના દુઃખને ન ગણકારતાં, પોતાનાથી વધુ દુઃખી એવી વ્યક્તિની ખાલી થાળી ભણી નજર કરી, પોતાને પ્રાપ્ત સંજોગોને પણ ઈશ્વરનો ઉપકાર માની ફરિયાદ કે ચિંતામુક્ત થઈ જીવન જીવવું જોઈએ. એટલે કે પોતાના અલ્પ દુઃખ સામે અન્યના મહાન દુઃખને નજર સમક્ષ રાખવાથી પોતાનું દુઃખ એ દુઃખ જણાશે નહીં પરંતુ તેમાં પણ ઈશ્વરની મહાન કૃપાનો જ આભાસ વર્તાશે. આમ જીવનમાં સુખ કે દુઃખને સહન કરવાની કળા આવડવી જોઈએ. - ટૂંકમાં, જેની પાસે સુખ, સગવડ, સત્તા, સંપત્તિ કે ધનવૈભવ કે વિજયનો અપચો નથી તથા તેના અભિમાનમાં છકી જઈ સ્વચ્છંદી વર્તન નથી તેમજ નિરાશા, નિષ્ફળતા, હતાશા, ભગ્નાશા, દુઃખ કે હારનું દર્દ નથી તથા તેવા સંજોગો પ્રત્યે પ્રતિકાર, ફરિયાદ, ચિંતા, વિલાપ કે રુદન નથી પરંતુ તમામ સંજોગોમાં ચિંતામુક્ત થઈ શાંત ચિત્તે જે જીવન જીવે છે તે જીવન જ તિતિક્ષાથી અલંકૃત થયેલું જીવન છે. | (છંદ-અનુષ્ટ્રપ) शास्त्रस्य गुरुवाक्यस्य सत्यबुद्ध्यवधारणम् । सा श्रद्धा कथिता सद्भिर्यया वस्तूपलभ्यते ।।२६।। શાસ્ત્રચ્ચે ગુરુવાવયસ્ય = શાસ્ત્રના શ્રદ્ધા = શ્રદ્ધા (અને) ગુરુદેવના વાક્યોને થતા = કહે છે સત્યનુચવઘારમ્ = સત્યપણાની કથા = જે(શ્રદ્ધા) વડે બુદ્ધિ વડે ધારણ કરવા, વસ્તુ = આત્મવસ્તુ સા સકિઃ = તેને સત્પરુષો ઉપયતે = પ્રાપ્ત થાય છે.
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy