________________
૯૨
ઈશ્વર દ્વારા આપણને પ્રાપ્ત થતું હોવાથી તે ઈશ્વરનો પ્રસાદ જ ગણાય. આમ હોવાથી આપણને પ્રાપ્ત થતા અનુભવો માટે સ્વયંથી અન્ય કોઈ વ્યક્તિને જવાબદાર ગણી શકાય નહીં.
માનવજીવનની વ્યાખ્યા જ કંઈક એવી છે કે જેમાં અલ્પ સુખ અને પછી દુઃખની પરંપરા. વળી પાછું થોડું સુખ અનુભવો અને તરત જ સુખના પડછાયાની જેમ પાછળ રહેલું દુઃખ ઘેરો ઘાલી દે છે.સુખદ અને દુ:ખદ સંજોગો તો ખેતરનાં કૂવામાંથી પાણી કાઢવા વપરાતા રેંટ જેવા છે. રેંટ ચાલતો હોય ત્યારે જેમ રેંટના ખાલી ઘડા કૂવામાં જાય અને કૂવામાંથી ભરાઈને ઘડા ઉપર આવે. તે વળી પાછા ઉપર ઊંધા થતા ઠલવાય અને ખાલી થઈ નીચે કૂવામાં જાય. ફરીથી તેમાં પાણી ભરાય અને પુનઃ તેઓ ઉપર આવી ઠલવાય. આમ નિરંતર ચક્ર ચાલુ રહે છે. તેવી જ રીતે મનરૂપી ઘડામાં પણ સુખ ભરાય, તે ખાલી થાય અને દુઃખ ભરાય. એ પ્રમાણે હંમેશા ચાલ્યા જ કરતું હોય છે. ખરેખર તો સુખ કે દુઃખ એકબીજાની અપેક્ષાથી જ અનુભવાય છે. આપણે જમીન ઉપર ચાલતા રહીએ તો અંતે જમીનનો જે અંત આવે છે તે જ દરિયાનો કિનારો બને છે. તેમજ જો દરિયામાં મુસાફરી કરીએ અને દરિયાનો જે અંત આવે છે તે વાસ્તવમાં અંત નથી. પરંતુ જમીનની શરૂઆત છે. આમ જમીનનો અંત તે જ દરિયાનો કિનારો છે અને દરિયાનો અંત એ જ જમીનનો પ્રારંભ છે. તે જ પ્રમાણે દુઃખદ સ્થિતિના અંત જ આપણને સુખ તથા સુખદ સંજોગોનો અંત જ દુઃખ ત૨ીકે અનુભવાય છે. આમ, સુખ અને દુઃખ સાપેક્ષ છે તથા આવનારા અને જનારા છે. વાસ્તવમાં તો કાયમી સુખ કે દુઃખ જેવી કોઈ વસ્તુ જ નથી. માટે જ અર્જુનને સંબોધતા ભગવાન જણાવે છે કે,
" मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः । आगमापायिनो ऽनित्यास्तांस्तितिक्षस्व भारत ।। "
(ભ.ગીતા અ-૨-૧૪) હે કૌન્તેય, ઇન્દ્રિયોના વિષયસંયોગથી પ્રાપ્ત સુખ અને દુઃખ