SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯ તિતિક્ષા વિવિધ સંજોગોનો સરવાળો એટલે જ જીવનના અનુભવોની સતત હારમાળા એનું નામ જ જીવન. જીવનમાં અનેક પ્રકારની પરિસ્થિતિઓ પ્રાપ્ત થતી હોય છે. તેમાં પણ મુખ્ય બે પ્રકારની પરિસ્થિતિઓ જોવા મળે છે. એક છે ઇચ્છનીય અને સાનુકૂળ પરિસ્થિતિ જે મનુષ્યને સુખદ અનુભવ કરાવી જાય છે. જ્યારે બીજી અનિચ્છનીય અને પ્રતિકૂળ પરિસ્થિતિ. જે મનુષ્યને દુઃખદ અનુભવાય છે. આમ જીવનમાં ક્યારેક આરામદાયી,આનંદદાયી કે સુખદ અનુભવ થાય છે. તો ક્યારેક કંટાળાજનક ત્રાસદાયી, હેરાનગતિયુક્ત, દુઃખદાયી અનુભવ પ્રાપ્ત થાય છે. આમ ચઢતી અને પડતીનું નામ જ જીવન છે. માત્ર અનુકૂળ કે માત્ર પ્રતિકૂળ સંજોગ જ પ્રાપ્ત થાય તેવું જીવનમાં કદાપિ હોઈ શકે નહીં. પરંતુ અનેક દુઃખદાયી ઘટનાઓ બાદ જો સુખદ સંજોગ પ્રાપ્ત થાય ત્યારે જ વ્યક્તિ તેનો આનંદ માણી શકે છે. આખી રાત અંધકારમાં પસાર કર્યા બાદ જ ઉષાની લાલીમાના દર્શન થઈ શકે છે. ત્યારે જ તે આરામદાયી અનુભવાય છે. સતત પરિશ્રમ બાદ જો આરામની પળો મળે તો જ તે આરામની કિંમત થઈ શકે છે અને તેનો આનંદ અનુભવી શકાય છે. પરંતુ માત્ર આરામ જ હોય તો તેનો આનંદ યોગ્ય રીતે અનુભવાશે નહીં. જેના જીવનમાં નિષ્ફળતા નથી તેને સફળતાનું સુખ એટલે શું તે સમજાતું નથી. ખરેખર તો જે સહન કરે તેનું નામ જ સાધુ છે. પ્રતિકૂળ સંજોગોને સહન કરવાની આવડત જીવનમાં કેળવવી જરૂરી છે. આવી પડેલ સંજોગને મિટાવી ન શકનાર તમામ માનવી દુઃખદ કે વિકટ પરિસ્થિતિને સહન તો કરે છે પરંતુ પ્રતિક્રિયા સાથે સહે છે અર્થાત આવી પડેલા દુઃખને ભોગવ્યા વિના બીજો કોઈ ઉપાય જ ન હોવાથી અસહાય, નિઃસહાય થઈને ચિંતા તેમજ વિલાપ કરતાં કરતાં એટલે કે રોદણાં રોતાં રોતાં પરિસ્થિતિનો વિરોધ કરતાં કરતાં તેને ભોગવે છે. જ્યારે કોઈ વ્યક્તિ કે
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy