SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપતિ ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી વાળી, તેમના ગોલકમાં સ્થાપી ઇન્દ્રિયનિગ્રહ કર્યા બાદ હવે મનની વૃત્તિઓને વિષયભ્રમણ કરતી અટકાવવી તેને ‘ઉપરતિ’ કહે છે. દમ વડે ઇન્દ્રિયનિગ્રહ અને શમ વડે મનોનિગ્રહ થવાથી ઉપરત આપોઆપ આવી જાય છે. ઉપરિત અર્થાત્ મનનું વિષયોમાંથી ઉપરામ થવું.એટલે કે મનનું વિષયભોગથી સંતૃપ્ત થઈ જવું. ઉપ૨ામ થઈ ગયેલા મનમાં સંતૃપ્તિના, સંતોષના ઓડકાર આવી ગયા હોવાથી પુનઃ તેને વિષયોને ભોગવવાની ઇચ્છા થતી નથી. ८८ જે વ્યક્તિ વિવેક-વિચારને પંથે પ્રયાણ કરી ચૂકી હોય, વિવેક–વિચારને પરિણામે તેને વૈરાગ્ય પ્રાપ્ત થયો હોય. વૈરાગ્યની ભાવના સાથે તેણે ઇન્દ્રિયનિગ્રહ દ્વારા ‘દમ’ અને મનોનિગ્રહ વડે ‘શમ’નો અભ્યાસ કર્યો હોય તો તેવી વ્યક્તિ અંતર્મુખતાને પ્રાપ્ત થઈ જાય છે અને તેનું મન વિષયભ્રમણમાંથી મુક્ત થઈ જાય છે. વિષયવાસનાના વિચારથી મુક્ત થયેલું મન ઉપરતિને પ્રાપ્ત થાય છે. આમ મન વિવેક-વૈરાગ્ય અને ‘શમ-દમ’ જેવા સાધનોના અભ્યાસ દ્વારા વિષયોમાંથી પાછું ફરે ત્યારે તેવા બાહ્ય વિષયોના આલંબનથી પાછું વળેલું મન, વિષયવિચારથી મુક્ત થયેલું મન ઉપરતિને પામે છે. આવું અંતર્મુખ થયેલું પરિપક્વ મન જ ચિત્તશુદ્ધિને પ્રાપ્ત કરી આત્મકલ્યાણ માટે મદદરૂપ બની શકે તેમ છે. (છંદ-અનુષ્ટુપ) सहनं सर्वदुःखानामप्रतिकारपूर्वकम् । चिन्ताविलापरहितं सा तितिक्षा निगद्यते ।। २५।। અપ્રતિારપૂર્વમ્ - કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા કર્યા વગર = વિન્તાવિજ્ઞાપરહિતમ્ = ચિન્તા કે વિલાપ કર્યા વગર આવી પડેલાં બધાં દુઃખોને सर्वदुःखानाम् सहनं सा तितिक्षा निगद्यते = સહન કરવાં તેને = = ‘તિતિક્ષા' કહેવાય છે.
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy