________________
•
•
• તારતમ્યના ત્રાજવાં •
•
•
પ્રજાવી તત્વો સામે હિન્દુમાનસ એટલી જ ભયાનક રીતે અસહિષ્ણુ છે. જગતમાં એકબીજાનાં જીવનમાં માથું ન મારવું એવો ઉપદેશ કરતું liberalism ફેલાતું જાય છે. પરંતુ એ liberalism અંતે સંસ્કૃતિને નાશ કરનાર વસ્તુ છે. એકબીજાના જીવનમાં માથું મારવાની હિન્દુઓની ટેવ જોઈને પરદેશીઓ અને પક્ષીઓના લેહીમાંથી નહિ તે લખાણોમાંથી ઘડાએલા કેટલાક હિન્દુઓ પણ અકળાય છે. “ હું ગમે તે કરું. સમાજને
જ્યાં સુધી મારું વર્તન સીધી રીતે હરકત ન કરતું હોય ત્યાં સુધી તેમને મારા જીવનમાં માથું મારવાનાં છે અધિકાર ? ” આવી એમની મનોદશા હોય છે. પણ સીધી હરકત એટલે શું ? કઈ ખૂન કરે તો સમાજ વ્યવસ્થામાં વાંધો આવે, અને પરણેતરને બેવફા નીવડે તે કશી હાનિ ન થાય એમ ? આ ઉપરથી જણાશે કે અનીતિની બાબતમાં હિન્દુ લોહી અસહિષ્ણુ છે. અને એવી તેજસ્વી અસહિષ્ણુતા જ સાચી રખેવાળ છે. જ્યાં સુધી પુરુષોના હાથમાં કેળવણીની સત્તા રહી
ત્યાં સુધી સ્ત્રીઓ પોતાને કેમ વિશેષ સાધન અને ઉપયોગી થાય એ દષ્ટિબિન્દુ રાખીને સાથે જ તેઓએ તેઓની કેળવણી ઘડી.
પરિણામે સ્ત્રીઓનું માનસ જ પુરુષની મનોરંજના થવાનું થઈ ગયું. પીઠાવાળાઓ અને મજૂરોનું