________________
•
•
•
• પશિની • • •
•
•
એમનું કહેવું સાચું લાગે છે. પણ આર્યાવર્તનું સમાજશાસ્ત્ર આપણે ધારીયે છીએ એટલે છીછરું નથી. જ્યાં પાશ્ચિમાત્ય સમાજશાસ્ત્રો સમુહના હિતમાં વ્યકિતને હોમાઈ જવાનું ફરમાવે છે ત્યાં આર્યોનું સમાજશાસ્ત્ર વ્યક્તિના હિતમાં સમાજને જરૂર પડે તે ખાખ થઈ જવા ઉપદેશ કરે છે. જ્યાં પશ્ચિમની નીતિવૃત્તિ વ્યક્તિને મોકળી મૂકી વેચ્છાચાર કરવાની પરવાનગી આપે છે, ત્યાં હિન્દુઓ ઉગ્રપણે સમાજનું શાસન પ્રસ્થાપિત કરે છે. આ સ્પષ્ટ છતાં હજી સુધી અસ્પષ્ટ રહેલ સ્વભાવભેદ કાળજી પૂર્વક સમજવા જેવો છે.
સ્વધર્મ કે સ્વનીતિની બાબતમાં વ્યક્તિને આર્યસમાજશાસ્ત્ર સર્વોપરી માને છે. ધમડકે નીતિના કોઈ પણ વિષયમાં વ્યક્તિની આડે આવવાને હિન્દુસમાજશાસ્ત્ર કદિ પ્રયત્ન કર્યો નથી. એ વસ્તુ એના સ્વભાવમાં નથી. વિધર્મીઓને ન વટલાવતાં સ્વધર્મના નિધાનમાં રહેવા દિઈને સ્વતંત્ર વિકાસ કરવા દીધું છે. એજ વસ્તુની અંદર
આર્યસમાજશાસ્ત્રને એ સ્વભાવ ફૂટ થાય છે. હિન્દુસમાજના સભ્યો સમાજને શરીર વેચે છે પણ આત્મા વેચતા નથી. અને શિયળને શરીરના નહિ પણ આત્માના ગુણ તરીકે હિન્દુઓએ મેળવ્યું છે.
ધર્મ અને નીતિની બાબતમાં હિન્દુસમાજશાસ્ત્ર આટલું સહિષ્ણુ હોવા છતાં અધર્મ અને અનીતિ કે