________________
•
•
• તારતમ્યના ત્રાજવાં •
•
પણ તો કેટલાક મુંઝવે એવા પ્રશ્નો ઊભા થાય છે. જીસીસ કાઇટને ક્રોસ ઉપર ચડાવનાર પિમ્પીઅસ પાઇલેટે એ કર્મ કર્તવ્ય બુદ્ધિથી જ કર્યું હતું. તે સંસાર જેમ ક્રાઈસ્ટને પૂજે છે તેમ પિમ્પીઅસ પાઇલેટને કેમ નથી પૂજતો? અમેરિકાના ભલાને ખાતર જ પ્રેસીડેન્ટ અબ્રાહમ લીંકનનું ખૂન કરનાર બુથનું નામ ઇતિહાસની તવારીખમાં એટલું જ ઉજળું કેમ નથી લખાયું? ઈસ્લામના પિતે સમજેલા આદેશ અનુસાર સ્વામિ શ્રદ્ધાનંદને હુલાવી ફાંસીને લાકડે લટકનાર પેલા ઝનૂની મુસલમાનને શહીદ તરીકે સ્વીકારતાં શી મૂશ્કેલી નડે છે ? અને તે તો પછી આ જગતની વાડીનાં તમામ ફૂલો સુંધી ચૂંઘીને ફગાવી દેવા માટે જ છે' એમ પ્રમાણિકપણે માનનાર અને આચરનાર અલ્લાઉદ્દીનના ચારિત્ર્યની ચિકિત્સા છેડીને જનસમાજ પવિનીના ચરિત્ર્યની અગ્નિપરીક્ષા શા માટે કરતે હશે ? પ્રકમાં જ એને જવાબ આવી જાય છે.
પણ માનવી “સહજ પ્રવૃત્તિ [Instinct]' થી જ સામાજીક પ્રાણી છે. એમ કહેવામાં પણ અતિશયોક્તિદેષ નથી કે જેને આપણે વ્યક્તિ” એવું નામ આપીએ છીએ, તે પણ સમાજને પરિપાક હોય છે. ઉત્ક્રાંતિને ઇતિહાસ તપાસીએ તો દીવા જેવું સ્પષ્ટ જણાશે કે મનુષ્યની “સહજ પ્રવૃતિઓ પણ સમાજ સાથે બદલાતી આવી છે. એટલે સમાજ વિનાના માણસની કલ્પના વિચિત્ર છે. એવી સ્થિ
૧૫