________________
• • • તારતમ્યના ત્રાજવાં • • આર્યનીતિભાવના ઊંચા હાથ કરી પડકારી ઊઠશે, “બસ કરો! વિતંડાવાદને પણ મર્યાદા છે. આ શિયળને ત્રાજવામાં મૂકતા કદિ શીખ્યા જ નથી.’ પણ જે હું એમ પ્રશ્ન ઉભો કરું કે એક સ્ત્રીનું
શિયળ વધારે કે યુદ્ધને અંગે નીતિનાશના પ્રકારે નિરાધાર થઈ પડેલી હજારે લલ
નાઓની લાજ વધારે, તે ? કુળમર્યાદાની એંટમાં પડી ગયેલા રાજપૂતને ભલે એ પ્રશ્ન ઊભે થયો ન હોય, પણ એ પરિસ્થિતિને વિચાર કરે અનિવાર્ય છે.
વળી હજારો લેકેની પ્રાણહાનિ પરિણામે નીતિનાશક છે, તેમ સ્વરૂપે પણ અનીતિકારક છે. યુદ્ધને જન્મ, જીવન અને મૃત્યુ ત્રણે અનીતિમાં છે.
સમાજરચના શિથિલ થઈ જાય, ધમ ભ્રષ્ટ થાય, નિર્દોષ વણિકો અને ખેડૂતોને શેષવું પડે અને વિજેતાના ગુલામ થવું પડે, એ બધું પણ શું અધમ્ય નથી? -અનીતિકારક નથી ?
એક બીજા પ્રત્યે તિરસ્કાર અથવા વૈર-કેમકે વૈર તિરસ્કારનું ભીષણ સ્વરૂપ છે-કેળવ્યા સિવાય એક બીજાના ડોકાં ઊતારી લેવાં એ અશક્ય વાત છે. અને તિરસ્કાર જે. બીજે સમાજદ્રોહી દૂર્ગુણ જડવો મુશ્કેલ છે. કેમકે સમાજનું