________________
•
• તારતમ્યના ત્રાજવાં •
•
•
પઢિનીની ઘટનાની સાલવારી વિષે અને એ ઘટનામાં સંકળાયેલાં પાત્રોનાં નામો અને પરસ્પરના સંબંધે તથા રાજ્ય ઉપરના અધિકાર વિષે હમણાં હમણાં ઈતિહાસન રા. બ. ગૌરીશંકર ઓઝાએ પિતાના “રાજપૂતાનેકા ઈતિહાસ” નામક ગ્રંથમાં મતભેદ રજૂ કર્યો છે, પરંતુ એ મતભેદ સાચો હોય તોયે કથાની દષ્ટિએ મહત્વનું નથી. વળી પ્રજા હૃદયમાં તે આજ સુધી કર્નલ ઝાડે મેળવેલી હકીકતે રમણ કર્યું છે. ઉપરાંત આ નાટકમાં મારો હેતુ આર્યહૃદયને તર્કયુક્ત છતાં આત્મસૃત ધ્વનિ આપવાને હેવાથી મેં ટૅડ રાજસ્થાનની ધરતી ઉપર મંડાણ કર્યું છે.
આ નાટકમાં એક કાલ્પનિક પાત્ર ઉમેર્યું નથી. મહારાણું લક્ષ્મણસિંહના મંત્રીશ્વરનું નામ મળ્યું નથી. છતાં એમને એક મંત્રીશ્વર તે અવશ્ય હશે એમ માનીને, અને એનું નામ “કેદારનાથ” કે “કુંભકર્ણ' ગમે તે હોય છતાં ફરક પડતો નથી એમ લાગવાથી “કેદારનાથ” નું ઇતિહાસ અગમ્ય છતાં ઐતિહાસિક પાત્ર ઉમેર્યું છે.
બીજા કેટલાંક નામને પણ એ જ ન્યાય લાગુ પડે છે એમ કબૂલ કરીને પણ કહું છું કે ગુજરાતના કેટલાક પ્રખર લેખકેની માફક કથાધ્વનિને શૂટ કરવા ખાતર ઇતિહાસ વાતને ખેંચતાણીને અભિરુચિને કદરૂપી કરવાને લેશ પણ પ્રયત્ન આમાં કરવામાં આવ્યા નથી. વસ્તુવિકાસને