________________
નિમીતી. 2007 28
ચદ્ધિનાશ્રીને જન્મ થવાને હતું, તે ભૂમિના સ્થૂલ પ્રતિક તરીકે ગૂજરપતિ સિદ્ધ રાજ જયસિંહે આ ભૂમિને લશ્કરી-કેન્દ્ર તરીકે પસંદ કરી.
એકંદરે ક૫ડવંજ શહેર અણહિલપુર પાટણ અને ચાંપાનેર વસ્યા પહેલાંનું અર્થાત્ ખંભાત, સેમિનાથ પાટણ, વૃદ્ધનગર, (વડનગર) જુનું દ્વારકા, વલ્લભીપુર આદિ ભારતના પ્રાચીન શહેરોના સમયનું છે. આ વાત ઈતિહાસના વિવિધ પ્રમાણેથી સાબીત થાય છે
પણ કાળચકની વણથંભી ગતિથી પરિવર્તનશીલ જગતને સાહજિક નિયમ પ્રમાણે લગભગ દરેક શહેર ૧૦૦૦ વર્ષ લગભગ જાડેજલાલી જોગવી સ્થાન-પલટાને પામે છે.
એ પ્રમાણે કપડવંજ શહેરની જાહોજલાલીના સૂર્ય ઉપર પણ કાળચકની વણથંભી અસર વિ. સં. ૧૧૭૫ પછી શરૂ થવા માંડી.
ગુજરાતમાં છૂટાછવાયા પણ તકને લાભ લઈને પેસી ગએલા વિદેશએ-મુસ્લીમોએ સર્વ પ્રથમ ગુજરાતની રોનકને પલટાવવાનું દુસ્સાહસ કર્યું ,
કાળબળે કે નિયતિબળે ગુજરાતની મુખ્ય ગાદી પાટણમાં ઢીલી પડી, લકી વંશમાંથી વાઘેલા વંશમાં ધોળકામાં ગુજરાતની સત્તા પલટાઈને સ્થિર થવા માંડી, તેમ છતાં શાસક તંત્રની અસ્થિરતાથી અરાજક્તા વધી પડી.
તે અરસામાં રાધનપુરના બાબી નવાબે અવસર જોઈ કપડવંજની વ્યાપારિક સદ્ધિ-જાહેરજલાલીથી લલચાઈ રજપુત ઠાકોરે પર હલ્લે કરી તેમની પાસેથી કપડવંજ ઝુંટવી લઈ કપર્વજની મૌલિક જાહેરજલાલીના પાયાને ઢીલે કરી નાંખે.
પરિણામે નવાબી જોરતલબીભર્યા જુલમથી તે વખતે કપડવંજ મહોરનદીના ઉત્તર-પશ્ચિમ કિનારે શાહના આરે હતું, તે અકળાઈને પડી ભાંગ્યું, વસ્તી સ્વરક્ષણ માટે જ્યાં ઠીક ફાવે ત્યાં છટકવા માંડી.
દેક સૈકા સુધી આ નાશભાગની અંધાધુંધી દરમિયાન કપડવંજની રોનક નિસ્તેજ બની ચૂકી. * ગુજરાત સર્વ સંગ્રહ (પૃ. ૫૩-૫૪) માં કપડવંજ સંબંધી નીચે મુજબને મહત્વપૂર્ણ ઉલ્લેખ છે.
એ જુના કાળથી વસેલું છે, ૫૦૦ થી ૮૦૦ વર્ષનાં ઘરે આજે પણ છે. કેટની દીવાલ પાસે જના શહેરની જગ્યા છે.”