SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ MESSERAUTEURS ક૫ડવંજ ભોગેલિક રીતે તેવા સ્થાને હતું કે જેથી કપડવંજ, ભારત તથા ગુજરાતના વિવિધ પ્રાન્તો અને દૂર-સુદૂરના દેશો સાથે પણ સ્થળમાર્ગે ગાડાં, ઊંટ, ઘોડા કે બળદોની વણઝાર મારફત વ્યાપારી સંબંધ ધરાવતું, કેમકે – કપડવંજથી નીચે મુજબના માર્ગો ભારત અને ગુજરાતના પ્રાન્ત અને દૂરના પ્રદેશ તરફ જતા હતા, અને મોટા વેપારી મથકો સાથે સંબંધ જોડી શકતા હતા. તે આ પ્રમાણે-- એક માર્ગ– ઉત્તર હિંદમાંથી ભેલસા-ગોધરા-કપડવંજ થઈ ખંભાત બંદર તરફ જતે હતે.. બીજો માર્ગ–માળવાના મુખ્ય પ્રદેશમાંથી કિશનગઢ-સંતરામપુર-લુણાવાડા કપડવંજ થઈ ચાંપાનેર–ડભોઈ થઈ ભૃગુકચ્છ (ભરૂચ) બંદર તરફ જતે હતે. ત્રીજો માર્ગ– માળવા તરફથી સંતરામપુર-લુણાવાડા-કપડવંજ થઈ ખેડાના માર્ગે ખંભાત તરફ જતા હતા. ચોથે માર્ગ– ઉત્તર ગુજરાતમાંથી મહેસાણ-વીજાપુર-દહેગામ-કપડવંજ થઈ સંતરામપુર ઝાલોદ-દાહોદના રસ્તે માળવા પ્રદેશમાં જ હતે. પાંચમે માર્ગ– ઠેઠ પેટી મારવાડમાંથી શ્રીમાળ, ભિન્નમાળ-રાણીવાડા-ડીસા-પાલણ પુર–વીજાપુર-હિંમતનગર–શામળાજી થઈને ખંભાત કે ભરૂચ - બંદર તરફને ધોરી માર્ગ કપડવંજના પાદરમાં થઈને જતો હતો. આ સિવાય પ્રાદેશિક માર્ગો પણ કપડવંજના પાદરમાં થઈને જતા, જેમકે અમદાવાદ-નડીઆદ કે મહેમદાવાદથી કપડવંજ થઈ લસુન્દ્રા-ચીખલેડ-રામપુરા થઈ ગોધરા-દાહોદ તરફ અસંખ્ય વણઝારાની પોઠો જાત-જાતને માલ ભરીને જતી. આ પ્રમાણે વાડાસિનોર-વીરપુર-સેવાલીયા-લસુન્દ્રાને માલ કપડવંજ થઈ આંતરેલી, ચરડ બદરપુર થઈ અમદાવાદ જતો. વળી કપડવંજની આસપાસના પ્રદેશને કા માલ કપડવંજ થઈ તોરણ–અમરીપુરના માર્ગે મહેમદાવાદ-ખેડા તરફ જતા, તથા નાના આંબલી આરા–ભાટેરા-કઠલાલના રસ્તે નડીઆદ જેતે. W 004 - 02206
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy