________________
ર
DupiniEURS
આ રાજાઓના વખતમાં મહમદ-ગિઝની સામનાથ-મહાદેવના મંદિરને તેડવા ચઢી આવ્યેા હતા.
વલ્લભસેને તથા ભીમદેવે તેની સાથે લડાઇ કરી, છતાં મહમ્મદ-ગિઝનીએ સામનાથનું મંદિર તેાડયું અને લૂટીને પાછા ગયા, ત્યાર પછી ભીમદેવે પેાતાનું રાજ્ય પાછું સભાલ્યુ.
આ વખતે અજમેરના રાજા વિશલદેવ ચૌહાણે ખીજા રજપૂત રાજાએ સાથે મંત્રણા કરી ચેાગ્ય સહકાર મેળવી મુસલમાનાના કબજામાં રહેલ પ્રદેશને જીતી મુસલમાનાને ભારતમાંથી હાંકી કાઢવા ઝુંબેશ ઉપાડી, તેમાં ભાવિ–ચાગે ભીમદેવે સહયાગ ન આપ્યા, તેથી છ ંછેડાએલા અજમેરના રાજા વિશલદેવે ગુજરાત પર ચઢાઇ કરી, તે પ્રસ ંગે થયેલ યુદ્ધમાં ભીમદેવ હાર્યાં.
સ્થળે વિશલદેવે વિજ્ય મેળવ્યા, તે સ્થળે પેાતાના નામથી વિ.સ. ૧૦૮૦ લગભગમાં વિસલનગર શહેર વસાવ્યું, જે આજે વિસનગર કહેવાય છે.
આ ભીમદેવના સમયમાં ચંદ્રાવતીના રાજા અને પાટણના ફ્રેંડનાયક વિમલશાહે આબુ ઉપર અને કુ’ભારિયામાં પૂ. આ. શ્રી ધમ ઘાષસૂરીશ્વરજીમ.ની પ્રેરણાનું પાન કરી શ્રી વીતરાગ પ્રભુ પ્રત્યેની અપૂર્વ ભક્તિથી ભવ્ય નમૂનેદાર કોતરણીવાળા શિલ્પ-સમૃદ્ધ દહેરાસરા અ ધાવ્યાં.
ભીમદેવ (પહેલા) પછી વિ. સં. ૧૧૨૮ માં રાજા કણુ ગાદીએ આવ્યો, તેણે મેઢેરાનુ દેવલ અને કર્ણસાગર તળાવ બંધાવ્યું, તેની રાણી મીનલદેવીએ ધાળકાનું તળાવ અને વીરમગામનુ સુનસર તળાવ અંધાળ્યુ.
કરણરાજ પછી તેના પ્રતાપી પુત્ર સિદ્ધરાજ-જયસિહ વિ. સ. ૧૧૫૦ માં ગુજરાતની ગાદીએ આન્યા.
સિદ્ધ્પુરનું મૂળનામ શ્રીસ્થળ હતુ, પણ સિદ્ધરાજે તેના પુનરુદ્ધાર કર્યાત્યારથી તે સિદ્ધપુર કહેવાયું, સિદ્રાજે પાટણમાં સહસ્રલિંગ તળાવ બંધાયુ તથા પેાતાના પૂર્વજ મુળરાજે બંધાવવા શરૂ કરેલું, પણ અધૂરું રહેલ રૂદ્રમહાલય મંદિર બંધાવી પૂર્ણ કર્યું.
આ સિદ્ધરાજે પોતાની પાછળ કુમારપાલ ગાદીએ ન બેસે–તે ખાતર કુમારપાલને મારી નાખવાના અનેક પ્રયત્ના કરેલા, પણ પુણ્યયેાગે કુમારપાલ દરેક વખતે બચી જતા, છેવટે પેાતાના ખનેવીની લાગણીથી કુમારપાલ વિ. સ’. ૧૧૯૯માં ગુજરાતની ગાદીએ આવ્યા.
આ
२०.
IF ; ૨ ક
કા