SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્ર ૧૧૦ થી ૧૧૫ સાગર–શાખાની સાતમી પાટે આવેલા પૂ. મુનિ શ્રી સુજ્ઞાનસાગરજી મ. વિ. સં. ૧૮૧૫ના ચોમાસામાં શ્રાવક- જીવનના મંગળ-કર્તવ્યનું સંબોધન કરતાં “ગૃહસ્થ સાત ક્ષેત્રની ભક્તિ તન-મન-ધનથી કરવી જોઈએ” વગેરે સમજાવેલ. , પરિણામે કેશરીયાજીની યાત્રાએ આવેલ શેઠ કપુરચંદ શાહ સપરિવાર ઉદયપુરના ચૈત્ય-જિનાલમાં દર્શનાર્થે આવેલ. ત્યાં પૂ. સુજ્ઞાનસાગરજી મ.ના પદ્ધતિપૂર્વકના ઉપદેશથી પ્રભાવિત બની વ્યાખ્યાનશ્રવણુ કરવાના હિસાબે રોકાયા હતા. - તેમને પૂ. સુજ્ઞાનસાગરજી મ.ના સાત-ક્ષેત્રની ભક્તિના ઉપદેશને સાંભળી નૂતન જિનાલય બનાવી, નૂતન-જિનપ્રતિમાજી પ્રતિતિ કરાવવાની મંગળ ભાવના જાગી. પૂ. મહારાજશ્રીને વાત કરી, પૂ. મહારાજશ્રીએ પોતાના ગુરુદેવના ઉપદેશથી સરૂપસાગરના કિનારે ગાનની જમીનમાં શ્રી શાંતિનાથ પ્રભુનું જિનાલય બંધાયેલ, ત્યાં વિશાળ જમીન . હેઈ કપુરચંદ શેઠને જગ્યા બતાવી, યોગ્ય મંગલ-મુહુર્ત ખાત-મુહૂર્ત પણ થયું. પૂ. સુજ્ઞાનસાગરજી મ. કપુરચંદ શેઠને આવતી-ચાવીશીના પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભ પ્રભુની આખા ભાતમાં કયાંય પ્રતિમાજી નથી, તેથી તે પ્રતિમાજી ભરાવવા પ્રેરણા કરી. • તે પણ કાય-પ્રમાણના ધરણે ૯૫ ઈંચ ઊંચી બેઠી પ્રતિમાજી અદ્વિતીય, સુંદર, મનહરમુદ્રામાં તૈયાર કરાવવા પ્રેરણુ કરી. કપુરચંદ શેઠે પણ ગુરુ-આજ્ઞા તત્તિ કરી તદનુરૂપ ગર્ભગૃહ, રંગમંડપ, શણગાર કી આદિવાળા વિશાળ જિનમંદિર બંધાવવા માંડ્યું. બીજી બાજુ વિશાળ જિનબિંબ ભરાવવા માંડ્યા. શ્રી પદ્મનાભ પ્રભુની ૫ ઈંચ ઊંચી મૂર્તિ ભરાવવા સાથે બીજા પણ વિશાળ-જિનબિંબ ભરાવ્યા અને શ્રી પદ્મનાભ પ્રભુના દહેરે પ્રતિષ્ઠિત કર્યા. તેમનાં દશ્ય આ ચિત્રમાં છે. ચિત્ર ૧૧૬ : શ્રી પદ્મનાભ-પ્રભુના જિનાલયમાં મેડા ઉપર સુંદર શ્યામ-ચતુર્મુખ રા કુટના જિનબિંબની સમવસરણકાર સ્થાપના પૂ. ચરિત્રનાયકશ્રીના ગુરુદેવ શ્રી પૂ. મુનિ શ્રી ઝવેરસાગરજી મ.શ્રીએ કરાવેલ, તેનું દશ્ય આ ચિત્રમાં છે. ચિત્ર ૧૧૭: ચૌગાનના દહેરાસરમાં સર્વ પ્રથમ બનેલ શ્રી શાંતિનાથ પ્રભુના દહેરાસની પાસે શ્રી મહાવીર પ્રભુનું જિનાલય નાનું પણ સુંદર છે. કોણે અને ક્યારે બંધાવ્યું છે તેની વિગત મળી નથી. ત્યાંના મૂળનાયક શ્રી મહાવીર પ્રભુ આદિ સુંદર -વેત-મનોહર જિનબિંબનું ત્રિગડું આ ચિત્રમાં દેખાય છે.
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy