________________
TOVUZNI
:
-
6
ક
પ્રકરણ-૪ કે
ર
- સંસ્કાર ભૂમિ ગુજરાત
ક
આનતી. સૌરાષ્ટ્ર, લાટ અને અપરાંત જેવાં નામો પછી ગુજરાતના નામે ઓળખાતે આ પ્રદેશ પિતાને વિશિષ્ટ મહિમા ધરાવે છે.
ભારતની વાયવ્ય દિશામાં આવેલા આ પ્રદેશની ગૌરવગાથા ધર્મનગરીઓ, શારદાપીઠ, રસવની નદીઓ, કલા અને સ્થાપત્યના ઉત્કૃષ્ટ નમુનારૂપ દેવમન્દિર, સમૃદ્ધ વનલક્ષમી, ગિરિ શિખર, સંસ્કૃતિ, સંસ્કાર અને અધ્યાત્મવાદના પ્રતીક રૂપ સંત-મહંતે આદિ અનેક રૂપે પાંગરતી જોઈ શકાય છે.
કુદરતને શીછેહાથ ગુજરાતની ભૂમિ ઉપર વધારે છવાયેલે જણાય છે.
ચારે બાજુ પથરાયેલાં લીલાં ખેતરો, ખુલ્લા મેદાને, અંદર વૃક્ષરાજિઓ, સ્વતંત્ર કુંકાતે પવન, બગીચાઓમાંથી પ્રસરતી પુષ્પોની સુવાસ, સંધ્યાકાળે ખેતરમાંથી પાછા ફરતા પશુઓના ચિત્ર-વિચિત્ર અવાજે, દેવળમાંથી ગુંજતા–હૈયું ડોલાવતા અને સામાન્ય પ્રજાને પણ ભક્તિ વિભેર બનાવનાર મંજુલ ઘંટનાદ હૃદયમાં આનંદની ઝંખના જગાવે છે. કુદરત સાથે એક તાન થવાની પ્રેરણા આપે છે. અને ગ્રામજીવનને રસમય બનાવવામાં અગત્યનો ભાગ ભજવે છે.
.