SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ S: NUVEMAS ( વ્યક્તિત્વને સંબંધ વ્યક્તિના જન્મની સાથે નથી, પણ તે પછી નિર્મિત થનારી તેની બાહ્યાકૃતિ, આન્તરિક ચેતના અને કાર્ય–વ્યાપાર સાથે છે. વિમલ અન્તરંગ આત્માના તલ પર મહાપુરૂષના સંપર્કથી સદ્ગુણેનું બીજારોપણ થાય છે, તેનાથી જન્મતા સર્વહિતકર ઉદાત્ત વિચારે અને કર્તવ્યના વટવૃક્ષના તળીયે શિક્ષિતઅશિક્ષિત, થાકેલા-માંદા કે પથબ્રાન્ત, બધા જીવનપથિક સુખ-શાંતિ અને સાંત્વના મેળવી શકે છે. માટે જ શાસ્ત્રોમાં જણાવેલ છે કે – મદાત્મનાં વરિતં તળ નિયમેવ જ !” એટલે “મહાત્માઓના ચરિત્રો દરરોજ સાંભળવા જોઈએ.” આપણી ધાર્મિક ક્રિયાઓમાં પણ મહાપુરૂષોના જીવનચરિત્રના શ્રવણને ધાર્મિક અને આવશ્યક ક્રિયા તરીકે ગણવેલ છે. આ બધે અહિની-વિમલ-હિતકર સંસ્કૃતિને પ્રભાવ છે. ભારતવર્ષની સૌથી આગવી વિશેષતા એ છે કે - જનસાધારણના જીવનને ઉંચે લાવવા માટે અહીંના મહાપુરૂષોએ ઉદાત્ત-વિશ્વહિતકરસનાતન સત્યને કઠોર સાધના દ્વારા પણ જીવનમાં આત્મસાત્ કરી અત્યન્ત ઉચ્ચકક્ષાએ જેની અનુભૂતિ કરી શકાય તેવા જરૂરી જીવન-સને વ્યાવહારિક રૂપ આપવા ભગીરથ પ્રયત્ન કર્યો છે. આવા મહાપુરૂષ કાળચકના પરિવર્તનથી આવી રહેલ શિથિલતા-અવ્યવસ્થાના આવરણે ફગાવી સમયે-સમયે પિતાની જીવનચર્યાદ્વારા સુજ્ઞ–જનતાના માનસમાં જીવન-સત્યની સ્થળ ઝાંખી કરાવતા હોય છે. જે આ રીતે ન થાય તે આ પૃથ્વી પર ધર્મને અંશ પણ ન રહે, અને ધર્મ વિના આ વિશ્વ એક ક્ષણ ટકી ન શકે. ધર્મના આધારે તે આ જગતની સ્થિતિ છે. આજે પણ અસંખ્ય સિદ્ધગી મહાત્માઓ-તત્વજ્ઞ મુનિરાજે વિવિધ રૂપે પિતાની સાધના અને સદુપદેશ વડે પ્રાણીઓનું કલ્યાણ કરી રહ્યા છે. કેટલાક મહાપુરૂષે પિતાની શક્તિ વડે પિતાને વ્યક્ત થવા દેતા નથી, માત્ર અપ્રકટપણે લેકકલ્યાણમાં લીન રહે છે. તેમના કાર્ય વ્યાવહારિક રીતે ગુપ્ત રહેવા છતાં તેઓ અધિકારી આ), ૪ ગ મ મ =
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy