SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ આવા પુણ્યનામધેય આ મહાપુરૂષ ખરેખર સાગર-શાખામાં અજોડ, અદ્વિતીય, સંયમનિષ્ઠ અને વિશિષ્ટ-ઉદાત્ત-ચારિત્રને પાળનારા થયેલ, જેના પરિણામે સાગર-શાખામાં મહિના સંસ્કારને ભેદી આગના ગઢ-નિગૂઢ પરમ-સત્યને તારવી જગતની સામે એકલે હાથે રજુ કરનાર યથાર્થ નામધારી પૂજ્યશ્રી આગમેદારક રૂપે પૂ. ચરિત્રનાયકશ્રી નીવડી શક્યા, તે બધામાં આવા ઉત્કૃષ્ટ, સંચમી ક્રિયાપાત્ર મહામુનિઓને અજોડ ફાળે જાય છે. આવા અને સાધારણ વિશિષ્ટ ગુણ-સંપદાથી શોભતા પૂ. શ્રી નેમિસાગરજી મ.ની તે વખતના પૂ. શ્રી વીરવિજયજી મ., પૂ. શ્રી મણિવિજયજી મ., પૂ. શ્રી અમરવિજયજી મ, પૂ. શ્રી ઉદ્યોત વિજયજી મ. વગેરે સંવેગી-શાખાના વિશિષ્ટમહાપુરુષો પ્રસંગ આવ્યે મુક્તકંઠે પ્રશંસા કરી ઉદાત્ત-ગુણાનુરાગ વ્યક્ત કરતા હતા. પૂ. શ્રી નેમિસાગરજી મ. વ્યવહારૂ–જીવનમાં ધર્મના પ્રાણરૂપ જયણાને અગ્રપદ આપવાને સતત ઉપદેશ આપી ચૂલા ઉપર ચંદર, પૂજવા–પ્રમાર્જવા માટે પંજણ અને ઝીણી સાવરણી આદિના સક્રિય ઉપદેશ દ્વારા શ્રાવકજીવનમાં જયણાને મહત્ત્વપૂર્ણ રીતે સ્થાપિત કરતા. આ રીતે અજ્ઞાનદશાથી ભઠ્યાભઢ્યને વિવેક મંદ થવાથી બળ–અથાણુને રિવાજ, હોકોતમાકુની ચલમ આદિ અનિટ પ્રવૃત્તિઓ પણ પૂજ્યશ્રી નેમિસાગરજી મ.શ્રીએ શ્રાવકોના ઘરમાંથી દૂર હઠાવવા ભગીરથ પ્રયત્ન કરેલ. આવા કિયાનિષ્ઠ, આદસંયમી, પૂ. શ્રી. નેમિસાગરજી મ. ની અદ્દભુત સંયમચર્યાથી અમદાવાદના અનેક શ્રીમંત કુટુંબે પણ ધર્માભિમુખ બન્યા હતા. એતિહાસિક નેંધના આધારે જાણવા મળે છે કે નગરશેઠ શ્રી પ્રેમાભાઈ હેમાભાઈ તથા શેઠશ્રી દલપતભાઈ ભગુભાઈએ ભયંકર આરંભ–સમારંભના ઉપાદાનરૂપ કાપડની મીલ ન કરવાની પ્રતિજ્ઞા પૂ. શ્રી. નેમિસાગરજી મ. પાસે લીધેલ.” “જેશીંગભાઈની વાડીવાળા શેઠ મગનલાલ મુળચંદભાઈ તથા શેઠશ્રી જેશીંગભાઈ હઠીસીંગ તે પૂજ્યશ્રીની આદર્શ-સંયમચર્યા નિહાળી હરખભેર અવારનવાર બેલી ઉઠતા કે “વર્તમાન કાળે હડહડતા-પાંચમા આરામાં આવી વિશુદ્ધકિયા અને શાસ્ત્ર-સામાચારીનું વફાદારી પૂર્વક પાલન કરનાર આ મહામુનિ છે.” શેઠશ્રી દલપતભાઈ ભગુભાઈ પૂ. મહારાજશ્રીના ગુણાનુરાગી ભકત હતા. લકખ્યાતિ એમ કહે છે કે-“નરેડામાં પદ્માવતીની આરાધના દ્વારા પૂ. નેમિસાગરજી મ. ના મંગલ આશિર્વાદથી વીસ લાખના આસામી થયા હતા.” : : * _ _ St. Jી SિA 3.
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy